શનિવાર, 30 ઑગસ્ટ, 2008

નોન રેસીડેન્ટ એક્સ્ટર્નલ (NRE) એકાઉન્ટ અને નોન રેસીડેન્ટ ઓર્ડીનરી(NRO) એકાઉન્ટ વિશે પાયાની માહીતીઃ


નોન રેસીડેન્ટ એક્સ્ટર્નલ (NRE) એકાઉન્ટ અને નોન રેસીડેન્ટ ઓર્ડીનરી(NRO) એકાઉન્ટ વિશે પાયાની માહીતીઃ


બીન નિવાસી ભારતીયો જ્યારે ભારતમાં તેમનું બેંક એકાઉન્ટ ખોલાવવાનું વિચારે છે ત્યારે સામાન્ય રીતે તેઓ ગડમથલમાં હોય છે કે ક્યા પ્રકારનું બેંક એકાઉન્ટ ખોલાવવું? NRE એકાઉન્ટ કે NRO એકાઉન્ટ?આજે આ લેખ દ્વારા આપણે NRE અને NRO એકાઉન્ટની ખાસીયતો અને તફાવતો વિશે સમજશું.
#NRE - Non Resident External Account.


-NRE એકાઉન્ટમાં મુડી ભંડોળ નું ચલણ ભારતીય રુપીયો છે.
-NRE એકાઉન્ટ જુદાં જુદાં પ્રકારનાં હોય છે.-બચત ખાતું,ચાલું ખાતું કે બાંધી મુદત ની થાપણનું ખાતું હોય શકે.
-NRE એકાઉન્ટ ફ્ક્ત બીન નિવાસી ભારતીયો જ ખોલાવી શકે છે.
-NRE એકાઉન્ટમાં જમા રાખેલ મુડી ખુબ આસાનીથી કોઈપણ દેશમાં મોકલાવી શકાય છે.
-વિદેશમાંથી કમાયેલી મુડી NRE એકાઉન્ટમાં જમા કરાવી શકાય છે તેમજ બીજાં NRE એકાઉન્ટમાંથી મુડી તબદીલ થઈ શકે છે.
-NRE એકાઉન્ટમાંથી NRO એકાઉન્ટમાં મુડી તબદીલ કરી શકાય છે.
-NRE એકાઉન્ટ સંયુક્ત રીતે ખોલાવી શકાય છે પરંતુ તેમાનાં બંને વ્યક્તીઓ બીન નિવાસી ભારતીય હોવા જરુરી છે.
-NRE એકાઉન્ટ માં રાખેલી મુડી પર નાં વ્યાજની આવક બીલકુલ ટેક્ષ ફ્રી હોય છે.
-NRE એકાઉન્ટ માં નોમીનેશન થઈ શકે છે.
-બીન નિવાસી ભારતીય જ્યારે કાયમી ધોરણે ભારતીય નીવાસી થઈ જાય ત્યારે NRE એકાઉન્ટ સામાન્ય બેંક એકાઉન્ટમાં તબદીલ થઈ શકે છે.


#NRO - Non Resident Ordinary Account
-NRO એકાઉન્ટમાં મુડી ભંડોળ નું ચલણ ભારતીય રુપીયો છે.


-NRO એકાઉન્ટ જુદાં જુદાં પ્રકારનાં હોય છે.-બચત ખાતું,ચાલું ખાતું કે બાંધી મુદત ની થાપણનું ખાતું હોય શકે.


-NRO એકાઉન્ટ ફ્ક્ત બીન નિવાસી ભારતીયો જ ખોલાવી શકે છે.


-ભારતીય નાગરીક જ્યારે બીન નિવાસી ભારતીય થઈ જાય ત્યારે તેનું બેંક એકાઉન્ટ NRO એકાઉન્ટ તરીકે તબદીલ થઈ શકે છે.
-NRO એકાઉન્ટમાં જમા રાખેલી મુડી વિદેશ મોકલી શકાતી નથી તેનો ઉપયોગ ફ્ક્ત ભારતમાં જ થઈ શકે છે.
-NRO એકાઉન્ટમાં ફ્ક્ત ભારતમાંથી જ મેળવેલી મુડી જ જમા થઈ શકે છે,વિદેશમાંથી કમાયેલી મુડી તેમાં જમા થઈ શકતી નથી.
-NRO એકાઉન્ટમાંથી NRE એકાઉન્ટમાં મુડી તબદીલ થઈ શકે નહીં.


-NRO એકાઉન્ટ સંયુક્ત રીતે પણ ખોલાવી શકાય છે.તેમજ બીજી વ્યક્તી બીન નિવાસી ભારતીય અથવાતો ભારતીય નીવાસી હોય તો પણ સંયુક્ત રીતે NRO અકાઉન્ટ ખોલાવી શકાય છે.
-NRO એકાઉન્ટમાં રાખેલી મુડી પરનાં વ્યાજની આવક કર પાત્ર છે.
-NRO એકાઉન્ટમાં નોમીનેશન થઈ શકે છે.
-બીન નિવાસી ભારતીય જ્યારે કાયમી ધોરણે ભારતીય નીવાસી થઈ જાય ત્યારે NRO એકાઉન્ટ સામાન્ય બેંક એકાઉન્ટ તરીકે તબદીલ થઈ જાય છે.

ટિપ્પણીઓ નથી: