રવિવાર, 18 માર્ચ, 2012

ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાનઃ પરીવારની આર્થીક સુરક્ષાની સંપુર્ણ ખાતરી


ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન એ શુધ્ધ વિમો છે જેમાં રોકાણનો ભાગ હોતો નથી.આ પ્રકારનાં પ્લાનમાં પોલીસી ચાલુ થાય ત્યારથી નક્કી કરેલી મુદત સુધી એક નિશ્ચીત મોટી રકમનો વિમો વિમેદારને આપવામાં આવે છે.તેની સામે વિમા ધારકે નક્કી કરેલી મુદત સુધી દર વર્ષે નીયમીત પ્રીમીયમ ચુકવવાનું હોય છે.આ પ્રકારનાં પ્લાનમાં સાવ ઓછી રકમનાં પ્રીમીયમ સામે ખુબ મોટી રકમનો વિમો મળે છે.આ નક્કી કરેલી મુદત દરમીયાન જો વિમા ધારકનું કોઈપણ રીતે મૃત્યુ થાય તો તેનાં પરીવારને વિમાની રકમ ચુકવવામાં આવે છે.પરંતુ જો વિમેદારનું આ નક્કી કરેલી મુદત દરમીયાન મૃત્યુ થતું નથી તો મુદત પુરી થયે ભરેલાં પ્રીમીયમની રકમ માંથી પરત કશું મળતું નથી.ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન ને સરળતાથી સમજવા તેને ભાડાનાં મકાન સાથે સરખાવી શકાય.જ્યાં સુધી ભાડાનાં મકાનમાં રહેતાં હોઈએ ત્યાં સુધી દર મહીને ભાડું ચુકવવું પડે છે.તેની સામે  આપણને રહેવા માટે ઘર મળે છે એટલે કે  આપણાં પરીવારને સુરક્ષા મળે છે.હવે જ્યારે આપણે ભાડાંનું મકાન ખાલી કરીએ ત્યારે ભાડાંની રકમમાંથી પરત કશું મળતું નથી પરંતુ જેટલો સમય રહિએ એટ્લો સમય પરીવારને અને આપણને સુરક્ષા મળે છે.ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન પણ બીલકુલ આ જ રીતે કામ કરે છે.જેટલો સમય નીયમીત પ્રીમીયમ ભરીએ તેટલો સમય નીશ્ચીત મુદત સુધી વિમાનું સુરક્ષા કવચ આપણાં પરીવારને મળે છે.મુદત દરમીયાન જો આપણું મૃત્યુ થાય તો એક  નિશ્ચીત રકમ આપણાં પરીવારને મળે છે જેથી આપણાં પરીવારે કોઈ પાસે હાથ લાંબો કરવો ના પડે.ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન એ રોકાણ માટેનું સાધન નથી પરંતુ પરીવારને આર્થીક સુરક્ષાની સંપુર્ણ ખાતરી આપતો શુધ્ધ વિમો છે.આજનાં અસલામતી ભર્યા મહોલમાં દરેક કમાનાર વ્યક્તિઓએ પોતાનાં પરીવારની આર્થીક સુરક્ષા માટે મોટી રકમનો ટર્મ ઈન્શ્યુરન્શ પ્લાન ફરજીયાત પણે લેવો જ જોઈએ એવું હું સ્પષ્ટપણે માનુ છું. TERM INSURANCE PLAN = ONLY RISK , NO RETURN. 

ટિપ્પણીઓ નથી: