ગુરુવાર, 11 ઑક્ટોબર, 2012

સોનાંમાં રોકાણ કરવા માટેનાં શાનદાર વિકલ્પો

વૈશ્વિક બજારોમાં છવાયેલી અનિશ્ચિતતા,વિક્સિત દેશોની ધીમી અર્થવ્યવસ્થા તેમજ અનેક દેશોમાં શેર બજારની અસ્થિરતા અને આર્થીક નીતિઓ ની અસ્પષ્ટ્તા એ રોકાણકારો ને રોકાણ માટેનાં નવા વિકલ્પો શોધવા માટે મજબુર કરી દીધા છે.રોકાણનાં સૌથી સુરક્ષીત વિકલ્પ તરીકે સોનાંને સૌથી વધારે લોકોએ પસંદ કર્યું છે.ફક્ત લોકોએ જ નહીં પરંતુ અનેક રાષ્ટ્રોએ પણ સોનાંનાં રોકાણ પર વિશ્વાસ બતાવ્યો છે.
છેલ્લાં કેટલાંક સમયથી સોનાંના ભાવોમાં પણ સતત ઉછાળો જોવા મળેલ છે તેમજ મીડીયા,બ્રોકર્સ,આર્થીક વિશ્લેષકો વગેરે લોકો દ્વારાં પણ સોનાંના ભાવો વિશે જુદાં જુદાં પ્રકારની ભવીષ્યવાણીઓ થતી જોવામાં આવે છે.ભારતમાં નાનો રોકાણકાર વર્ગ પણ સોનાંને સૌથી સલામત અને સરળ રોકાણનાં સાધન તરીકે જુએ છે.ત્યારે અંહી આપણે પ્રત્યક્ષ રીતે એટલે કે ફીઝીકલી સોનું ખરીદવાને બદલે બીજી કઈ-કઈ રીતે સોનાંમાં રોકાણ કરી શકાય તેનાં વિકલ્પો જોશું.

ગોલ્ડ ઈટીએફ

જો તમે સોનાંમાં રોકાણ કરવા માંગતા હો તો પ્રત્યક્ષ રીતે સોનાંમાં રોકાણ કરવાને બદલે ગોલ્ડ ઇટીએફ માં રોકાણ કરવું વધારે ફાયદામંદ રહેશે.ગોલ્ડ ઇટીએફ એ 'એક્સચેંજ ટ્રેડેડ ફંડ' છે જે મ્યુચલ ફંડ ની જેમ જ કામ કરે છે.મ્યુચલ ફંડમાં જેમ રુપીયાનાં રોકાણની સામે યુનીટ આપવામાં આવે છે તેમ ગોલ્ડ ઇટીએફ માં પણ રોકાણની સામે યુનીટ આપવામાં આવે છે.જેમાં એક યુનીટની વેલ્યુ એક ગ્રામ સોનાં જેટલી હોય છે.કોઇ કોઇ ફંડ હાઉસ દ્વારાં એક યુનીટની વેલ્યુ અડધાં ગ્રામ સોનાં જેટલી પણ રાખવામાં આવતી હોય છે.જેથી નાનાં રોકાણકારો પણ રોકાણ કરી શકે.
ગોલ્ડ ઇટીએફ મ્યુચલ ફંડની જેમજ ખરીદી તેમજ વેંચી શકાય છે.તેનાં માટે ડિમેટ એકાઉન્ટ હોવું જરુરી છે.મ્યુચલ ફંડ ની જેમજ ગોલ્ડ ઇટીએફ ની પણ નેટ એસેટ વેલ્યુ (NAV) નિયમીત રીતે જાહેર કરવામાં આવે છે.ઇટીએફ ગોલ્ડની ગુણવતા ૯૯.૯ ની હોય છે.પ્રત્યક્ષ રીતે સોનું ખરીદ્યા બાદ તેને સલામત જ્ગ્યાએ સાચવવાની મુશ્કેલી સામાન્ય રીતે દરેક લોકો અનુભવતા હોય છે.જ્યારે ગોલ્ડ ઇટીએફ નો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાં સ્ટૉરેજ અને સુરક્ષા માટેની કોઇ ચિંતા રહેતી નથી.વળી પ્રત્યક્ષ સોનાં કરતાં પણ ગોલ્ડ ઇટીએફ ની તરલતા વધારે છે.જેથી ગમે ત્યારે તેને વેંચી શકાય છે.તેમજ ગોલ્ડ ઇટીએફ દ્વારાં નાની રકમથી પણ તમે સોનાંમાં રોકાણ કરી શકો છો.
પ્રત્યક્ષ સોનાં માં રોકાણ કરતાંગોલ્ડ ઇટીએફ નાં રોકાણને કર બચત મામલે પણ વધારે રાહત મળે છે.લાંબાગાળા ની કર બચત માટે પ્રત્યક્ષ સોનાંમાં ઓછાં માં ઓછાં ત્રણ વર્ષ માટે રોકાણ કરવું જરુરી છે જ્યારે ગોલ્ડ ઇટીએફ માટે આ અવધી ફક્ત એક વર્ષની જ છે.
ભારતમાં કોટક,રીલાયન્સ,યુટીઆઇ,ઍચડીએફસી વગેરે જેવાં ફંડ હાઉસો દ્વારાં ગોલ્ડ એટીએફ ઓફર કરવામાં આવ્યાં છે.ભારતમાં પહેલું ગોલ્ડ ઇટીએફ ૨૦૧૦ ની સાલમાં આવેલું.

ઇ-ગોલ્ડ

નેશનલ સ્પોટ એક્સચેંજ લીમીટેડ(એનએસઇએલ) દ્વારાં ઇલેક્ટ્રોનીક રુપમાં રોકાણકારૉને સોનાં,ચાંદી અને કોપર ખરીદવાની અનુમતી આપવામાં આવેલી છે.જે ઇ-ગોલ્ડ,ઇ-સીલ્વર અને ઈ-કોપર તરીકે ઓળખાય છે.ઇ-ગોલ્ડની સુવિધા દ્વારાં રોકાણકારો ડિમટીરીયલાઇઝ્ડ રુપમાં સોનું ખરીદી શકે છે.તેનાં કામકાજનો સમય સવારે ૧૦ વાગ્યાં થી રાત્રીનાં ૧૧-૩૦ વાગ્યાં સુધીનો હોય છે.રોકાણકાર એક યુનીટનાં લોટમાં સોનાંમાં ખરીદીકરી શકે છે.એક યુનીટ બરાબર એક ગ્રામ સોનું ગણવામાં આવે છે.જેની શુધ્ધતા ૯૯.૫ ની હોય છે.
ઇ-ગોલ્ડમાં રોકાણ કરવા માટે ડિપોઝીટરી પાસે અલગથી ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડે છે.ઇ-ગોલ્ડ માં રોકાણ આજકાલ ફાયદાનો સોદો સાબીત થઈ રહ્યું છે.૨૦૧૧-૨૦૧૨ નાં નાણાંકીય વર્ષમાં ઇ-ગોલ્ડૅ અંદાજે ૨૭ ટકાનું વળતર આપેલું છે.વળી રોકાણકાર જ્યારે ઇચ્છે ત્યારે ઇ-ગોલ્ડનું વેચાણ કરી શકે છે તેમજ કોઈપણ એનએસઈએલ સેન્ટર પરથી રોકડાં રુપીયા મેળવી શકે અથવા તો પ્રત્યક્ષ રીતે સોનાંની ડિલીવરી પણ લઈ શકે છે.હાલમાં ડિમટીરીયલાઈઝ્ડ સેન્ટર મુંબઈ,દીલ્હી અને અમદાવાદમાં છે.ભવીષ્યમાં વધારે સેન્ટર્સ ખોલવામાં આવશે તેવું જાણવા મળેલ છે.
ઇ-ગોલ્ડની વધુ માહીતી માટે તેની વેબસાઈટ ની મુલાકાત લો.www.nationalspotexchange.com 


ગોલ્ડ ફંડ અને ગોલ્ડ એફઓએફ (ફંડ ઓફ ફંડ્સ)

ગોલ્ડ ફંડ પણ મ્યુચલ ફંડની જેમજ કામ કરે છે અને તે જુદાં જુદાં ફંડ હાઉસો દ્વારાં જ ચલાવવામાં આવે છે.ગોલ્ડ ફંડનાં રોકાણકારોને સૌથી મોટો ફાયદો એ છે કે તેણે ગોલ્ડ ઇટીએફ કે ઇ-ગોલ્ડની જેમ આને માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવવાની જરુર રહેતી નથી.ગોલ્ડ ફંડની એનએવી માટે સોનાનો ભાવ બેંચમાર્ક છે.
આજ રીતે સોનાંમાં રોકાણ કરવાનો બીજો પણ એક વધુ વિકલ્પ હાજર છે જે ગોલ્ડ એફઓએફ(ફંડ ઓફ ફંડ્સ) તરીકે ઓળખાય છે.આ પણ મ્યુચલ ફંડની જેમજ કામ કરતું ફંડ છે જે ગોલ્ડ ઇટીએફ માં રોકાણ કરે છે.
કોઇપણ ગોલ્ડ ફંડ કે ગોલ્ડ એફઓએફ માં રોકાણ કરતાં પહેલાં તેનાં ફાયદા-ગેરફાયદા,ચાર્જીસ તેમજ ભુતકાળનાં પ્રદર્શન વગેરેનો અભ્યાસ કરીને પછી જ તેમાં રોકાણ કરવું હીતાવહ છે.



ટિપ્પણીઓ નથી: