શનિવાર, 5 જુલાઈ, 2008

શું લાઇફ ઇન્શ્યુરન્સનાં રોકાણકારોને અપાતા વળતરને પણ કાયદેસર ન બનાવી શકાય?

શું લાઇફ ઇન્શ્યુરન્સનાં રોકાણકારોને અપાતા વળતરને પણ કાયદેસર ન બનાવી શકાય?
તાજેતરમાં જ કન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડ્સ્ટ્રીઝ(સીઆઇઆઇ) દ્વારા આયોજીત મ્યુચલ ફંડ સુમીટ-૨૦૦૮ ખાતે શેરબજારા અને મ્યુચલ ફંડના નીયમનકાર સેબીનાં ચેરમેન શ્રી ભાવે એ તેમનાં સંબોધનમાં મ્યુ.ફંડનાં રોકાણકારોનાં હીતમાં અમુક સુધારાવાદી પગલાઓ ટુંક સમયમાં લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી જેમકે 'મ્યુ.ફંડ ઉધોગ માટેનાં નિતિ નિયમોની સમીક્ષા કરવા માટે એડવાઇઝરી કમીટીની રચના કરવી,મ્યુચલ ફંડ ટ્ર્સ્ટીઓ માટે વર્કશોપ,શેર બજારની જેમ મ્યુ.ફંડમાં પણ ડિપોઝીટરી પાર્ટીસીપેટરી(ડિપી)નો વિચાર તથા મ્યુ.ફંડમાં રોકાણકારોને ડીસ્ટ્રીબ્યુટર્સ દ્વારા અપાતું વળતર(રીબેટ) કાયદેસર કરવાનો વિચાર.'
ઉપરનાં તમામ પગલાંઓનો જો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવે તો દેશનાં નાનાં રોકાણકારો માટે ખુબજ આનંદીત થવા જેવી વાત છે.મ્યુ.ફંડ કંપનીઓ તેનાં ફંડનો વ્યાપ વધારવા માટે ડિસ્ટ્રીબ્યુટર્સની નિમણુંક કરે છે. ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા રોકાણકારો પોતાનાં રુપિયાનું મ્યુ.ફ્ડંમાં રોકાણ કરી શકે છે.મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સને તેનાં મહેનતાણાં રુપે ૧% થી લઈને ૪% સુધીનું કમીશન આપવામાં આવે છે.વધારે ને વધારે લોકો પોતાનાં દ્વારા રોકાણ કરે અને એક સામટું મોટું ફંડ આકર્ષવા માટે તેમજ હરીફાઇમાં ટકી રહેવા માટે મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ પોતાને મળતા કમીશનમાંથી અમુક ટકા રકમ ડિસ્કાઉન્ટ અથવા તો રિબેટ તરીકે રોકાણકારોને પરત આપે છે. મ્યુ.ફંડ કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટર્સને જે કમીશન આપે છે તે કમીશન તે રોકાણકારો જે રોકાણ કરે તેનાં ઉપર જુદાં જુદાં પ્રકારનાં ચાર્જિસ લગાડીને વસુલ કરે છે એટ્લે આમ જોઇએ તો રોકાણકારોને જે ડીસ્કાઉન્ટ પાછું મળે છે તે તેનાં જ પૈસા તેને પાછા મળે છે તેવું જ થયું કહેવાય.હવે જ્યારે મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા અપાતા આવા વળતરને કાયદેસર બનાવવાની વાત છે ત્યારે રોકાણકારોના હિતમાં વિચારીએ તો આ પગલું આવકારવા યોગ્ય છે કારણ કે આવું થવાથી મ્યુ.ફંડમાં રોકાણ કરવાનો ખર્ચ રોકણકારો માટે ઓછો થશે અને રોકાણકારોને તેણે રોકેલા પૈસાનું પુર પુરું વળતર મળી રહેશે.સેબી દ્વારા આ બાબતનો વિચાર કરવો અ પણે એક હિંમતભર્યું પગલું કહી શકાય.
આજ બાબત આપણે લાઇફ ઇન્શ્યુરન્સનાં રોકાણકારો માટે પણ વિચારી શકીએ ભારતમાં ઇન્શ્યુરન્સ ક્ષેત્રનું નિયમન IRDA(ઇન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટિ) દ્વારા થાય છે.જો સેબીની જેમજ IRDA પણ આવું વિચારે તો ખરેખર દેશનો નાનો રોકાણકાર ધન્ય થઈ જાય. લાઇફ ઇન્શ્યુરન્સની બાબતમાં વાત કરીએ તો મ્યુ.ફંડનાં વેચાણ માટે જેમ મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સની નીમણુંક કરવામાં આવે છે તેમ લાઇફ ઇન્શ્યુરન્સ વેચવા માટે ઇન્શ્યુરન્સ કંપનીઓ દ્વારા એજન્ટ્ની નીમણુંક કરવામાં આવે છે.આવા એજન્ટ ને પહેલા વર્ષનાં પ્રીમીયમનાં ૧૦% થી લઈને ૩૦% સુધીનું કમીશન આપવામાં આવે છે.તે ઉપરાંત રીન્યુઅલ પ્રીમીયમ ઉપર ૨% થી લઈને ૫% સુધીનું કમીશન આપવામાં આવે છે.એજન્ટને આપવામાં આવતું કમીશન ઇન્શ્યુરન્સ કંપનીઓ વિમો ખરીદનાર વ્યક્તી પાસે થી લેવામાં આવતા પ્રીમીયમમાંથી જુદાં જુદાં ચાર્જીસ દ્વારા વસુલ કરે છે.આવા ચાર્જીસનો દર દરેક ઇન્શ્યુરન્સ કંપની દ્વારા જુદોજુદો રાખવામાં આવતો હોય છે.જે પહેલા પ્રીમીયમનાં ૪૦% થી લઈને ૬૫% સુધીનો હોય છે.એટલે કે કોઇ વ્યક્તી રુ ૧૦૦૦૦ નું પ્રીમીયમ ભરે તો તેનાં પહેલાં પ્રીમીયમમાંથી રુ ૬૫૦૦ તો ચાર્જ તરીકે કપાઇ જાય છે અને ફક્ત ૩૫૦૦ રુપીયા જ તેનાં રોકાણ સ્વરુપે જમા થાય છે.બીજા ત્રીજા વર્ષનાં પ્રીમીયમમાંથી આવા ચાર્જીસ ઓછાં થઈ જાય છે અને અમુક કંપનીઓ નાં કિસ્સામાં અમુક પ્રીમીયમ ભર્યા પછી બાકીનાં પ્રીમીયમ પર ચાર્જીસ સાવ નીલ થઈ જાય છે. પરંતુ ઘણી વખત લાઇફ ઇન્શ્યુરન્સ ખરીદનાર વ્યક્તીને આ હકીકતની ખબર હોતી નથી પછી જ્યારે સ્ટેટ્મેન્ટ તેનાં હાથમાં આવે ત્યારે જ ખ્યાલ આવે છે કે તેણે રોકેલાં રુપીયામાંથી ખરેખર કેટલાં રુપીયા ચાર્જ તરીકે કપાઇ જાય છે અને કેટ્લાં રુપીયા રોકાણ તરીકે જમા થાય છે.
જેવી રીતે મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ તેનું વેચાણ વધારવા માટે તેમજ હરીફાઇમાં ટ્કવા માટે તેનાં ગ્રાહકોને વળતર એટ્લે કે રીબેટ ઓફર કરે છે તેવી જ રીતે લાઇફ ઇન્શ્યુરન્સ એજન્ટ પણ વધુ ને વધુ પોલીસીઓ મેળવવાની લાલચમાં પોતાને મળતાં કમીશનમાંથી અમુક ટ્કા રકમ ગ્રાહકને રોકડ સ્વરુપે પાછી આપે છે.આ વસ્તુ અત્યારે ગેરકાયદેસર છે પરંતુ ભારતમાં આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે તેમ છતાં અમુક લાઇફ ઇન્શ્યુરન્સ કંપનીઓ આ રીબેટ પ્રથાને પ્રોત્સાહન આપતી નથી.
આપણી ચર્ચાનો મુદ્દો એ છે કે જેમ સેબી ચેરમેન મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા રોકાણકારોને અપાતા રીબેટને કાયદેસર બનાવવાની વાત કરે છે તેમ શું IRDA પણ લાઈફ ઇન્શ્યુરન્સ એજ્ન્ટ દ્વારા તેનાં ગ્રાહકોને અપાતાં રીબેટ-ડિસ્કાઉન્ટને કાયદેસર બનાવવાનું વિચારી ના શકે? જો આવું કરવામાં આવે તો દેશ નાં નાગરીકોને જીવનવીમો ખુબજ ઓછા ખર્ચે પ્રાપ્ત થઈ શકે અને તેણે ભરેલા પ્રીમીયમમાંથી વધારે રકમનું રોકાણ થાય અને તેણે રોકેલા નાંણા સામે તે વિમાની સાથે સાથે પુરે પુરું વળતર પણ મેળવી શકે પરંતુ આ એક ઘણું ઉંડું મંથન માંગી લે તેવો વિચાર છે.લાઈફ ઇન્શ્યુરન્સ કંપનીઓનું હીત,એજ્ન્ટોનું હીત,દેશનું હીત તેમજ રોકાણકારોનું હીત આમ,બધાંનાં હીતોનો વિચાર કરીને આ બાબતે જો કોઇ યથા યોગ્ય પગલાં લેવામાં આવેતો રોકાણકારોને ઓછાં રુપીયામાં મોટો વિમો તેમજ વધારે રોકાણ એમ બંને લાભ મળે.દેખીતી રીતે આ કામ ઘણું અઘરું છે પરંતુ અશક્ય નથી.

ટિપ્પણીઓ નથી: