બુધવાર, 30 જુલાઈ, 2008

સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન (SIP);શેર બજાર માં રોકાણ કરવા માટેનો ઉતમ વિકલ્પ




સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન (SIP);શેર બજાર માં રોકાણ કરવા માટેનો ઉતમ વિકલ્પ

#સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન એટલે શું?

સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ રોકાણ કરવા માટેની એક પ્રચલીત પધ્ધતી છે.જે ખાસ કરીને પગારદાર લોકો તથા નિયમિત આવક ધરાવતા લોકો માટે ખુબજ ફળદાયી છે.એકી સાથે,એક જ સમયે મોટું રોકાણ કરવાને બદલે આ પધ્ધતી માં રોકાણકાર પોતાની અનુકુળતા મુજબ નિયમિત રીતે દર મહીને અમુક રુપીયાનું રોકાણ કરી શકે છે.રોકાણકાર ફક્ત રુ ૫૦૦ થી લઈને વધુ માં ગમે તેટલાં રુપીયા દર મહીને રોકી શકે તેવાં અનેક પ્રકારનાં મ્યુ.ફંડ પ્લાન બજાર માં ઉપલબ્ધ છે.સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન એ કોઇ મ્યુ.ફંડ નો પ્રકાર નથી પરંતુ મ્યુ.ફંડ માં રોકાણ કરવાની એક શીસ્તબધ્ધ પધ્ધતી છે.
અત્યારે ભારતમાં ઘણીબધી મ્યુ.ફંડ કંપનીઓ આ પ્રકારનાં પ્લાન ઓફર કરે છે.સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા મ્યુ.ફંડ માં રોકાણ કરવામાં આવે છે,એટલે કે દર મહીને અમુક રુપીયાનાં યુનીટ જે તે ફંડ નાં ખરીદવામાં આવે છે.જ્યારે મ્યુ.ફંડ કંપની આ જે ફંડ ભેગું થાય તેનું શેર બજાર માં તથા બોન્ડ માં રોકાણ કરે છે.આમ સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા આડકતરી રીતે શેર બજારમાં રોકાણ થાય છે.કોઇપણ મ્યુ.ફંડ કંપનીનાં સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માં ફક્ત રોકાણ કરી દેવાથી સારાં વળતરની અપેક્ષા ના રાખી શકાય તેનાં માટે મ્યુ.ફંડ સ્કીમની યોગ્ય પસંદગી કરવી અનીવાર્ય છે.ઘણી વખત યોગ્ય સ્કીમની પસંદગી ના કરી હોવાને લીધે પણ રોકાણ સામે યોગ્ય વળતર મળતું નથી.આથી,એવું કહી શકાય કે મ્યુ.ફંડ કંપની ની યોગ્ય પસંદગી તેમજ તે કંપનીની જુદી જુદી સ્કીમ માંથી યોગ્ય સ્કીમ ની પસંદગી કરવી એ સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાનમાં રોકાણ કરવા તરફ નું પહેલું પગથીયું છે.

#સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાનમાં રોકાણ કરવાનાં ફાયદાઃ

( ૧.) દર મહીને શીસ્તબધ્ધ રીતે રોકાણ થતું હોવાથી એક રીતે જોઇએ તો ફરજીયાત બચત થાય છે અને એ મુજબ જ આખા મહીનાનાં ખર્ચાઓનું આયોજન પણ આપો આપ થઈ જાય છે.

( ૨.) રોકાણનાં કોઇપણ સાધનો કરતાં હંમેશા શેર બજાર માં કરેલાં રોકાણોએ લાંબેગાળે ખુબજ ઉંચુ વળતર આપ્યું છે.સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા આડકતરી રીતે શેર બજારમાં રોકાણ થાય છે પરંતુ શેર બજારા નાં જોખમો સામે રક્ષણ મળે છે.

( ૩.) 'ઘટાડે લેવું અને ઉછાળે વેંચવું' આ શેરબજાર માં સફળ થવા માટેની ગુરુચાવી છે.આ હકીકત દરેક રોકાણકાર જાણતો હોવા છતાં વાસ્તવિક્તામાં આને અનુસરી શકતો નથી,જ્યારે સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાનમાં દર મહીને નાની રકમનું નિયમિત રીતે રોકાણ થાય છે તેથી લાંબાગાળે રોકાણ નાં ખર્ચનું એવરેજીંગ થઈ જાય છે જેને 'રુપી કોસ્ટ એવરેજીંગ' કહેવાય છે.આથી સરવાળે રોકાણની પડ્તર માં ઘટાડો થાય છે અને તેથી જ વળતર વધારે મળે છે.

( ૪.) સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા મ્યુ.ફંડ માં રોકાણ કરી દર મહીને અમુક યુનીટની ખરીદી કરવામાં આવે છે આથી અમુક યુનીટની ખરીદી સાવ નીચા ભાવે થાય છે તો અમુક યુનીટ ની ખરીદી ઉંચા ભાવે થાય છે.આમ,ઉંચા ભાવે એક સામટું રોકાણ કરવા કરતાં સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા વધારે વળતર મેળવી શકાય છે.

( ૫.) મ્યુ.ફંડ નાં ફંડ નું સંચાલન અભ્યાસુ,નિષ્ણાંત અને અનુભવી વ્યાવસાયીકો દ્વારાં કરવામાં આવે છે આથી શેરબજારમાં રહેલાં જોખમોને ટાળી શકાય છે અથવાતો ઓછા કરી શકાય છે અને વધારે વળતરની અપેક્ષા યોગ્ય ઠરે છે.
#ચાર્જીસઃ
દરેક મ્યુ.ફંડ કંપનીનાં ચાર્જ સ્ટ્ર્કચર જુદાં જુદાં હોય છે.મ્યુ.ફંડ કંપનીઓ મુખ્યત્વે બે પ્રકારનાં ચાર્જ લગાડતી હોય છે જે 'એન્ટ્રી લોડ' અને 'એક્ઝીટ લોડ' થી ઓળખાય છે.જ્યારે યુનીટ ની ખરીદી કરીએ અને જ્યારે વેંચાણ કરીએ ત્યારે આ ચાર્જ કાપવામાં આવે છે.'એક્ઝીટ લોડ' માટે મ્યુ.ફંડ કંપનીઓ સમય મર્યાદા રાખે છે જેમકે યુનીટ ખરીદ્યા પછી જો એક વર્ષની અંદર તેને વેંચી નાંખીએ તો 'એક્ઝીટ લોડ' લગાડવામાં આવે છે પરંતુ જો એક વર્ષ પુરું કર્યા પછી જો વેંચીએ તો આ ચાર્જ લગાડવામાં આવતો નથી.દરેક કંપનીની આ સમય મર્યાદા જુદી જુદી હોય છે.આ ઉપરાંતનો એક 'ફંડ મેનેજમેન્ટ' ચાર્જ વસુલ કરવામાં આવે છે,આ ચાર્જ અડધા ટકા થી લઈને દોઢ બે ટકા સુધીનો હોય છે.આ ચાર્જ નાં ટકા કુલ ફંડ ઉપર લગાડવામાં આવે છે.આમ,સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન માં રોકાણ કરતાં પહેલાં જુદી જુદી મ્યુ.ફંડ કંપનીનાં ચાર્જ સ્ટ્ર્કચર ચકાસીને જ રોકાણ કરવું હીતાવહ છે.
#ટેક્ષ ની અસરોઃ
આપણે કોઇ મ્યુ.ફંડ કંપની નાં ઈક્વીટી ફંડ માં સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન વડે રોકાણ કર્યું છે,હવે જો રોકાણ કર્યા પછી નાં એક વર્ષ પછી જો યુનીટનું વેચાણ કરીએ તો તેનાં પર કેપીટલ ગેઈન ટેક્ષ લાગતો નથી પરંતુ જો એક વર્ષ પહેલાં વેચાણ કરીએ તો તેનાં પર ૧૫% કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.ધારો કે આ મુજબનાં પ્લાનમાં આપણે બાર મહીના માટે રોકાણ કરીએ છીએ એટલે કે જાન્યુ-૨૦૦૮ થી ડીસે.-૨૦૦૮ સુધી,હવે ફેબ્રુઆરી ૨૦૦૯ માં આપણે અમુક યુનીટનું વેચાણ કરવું છે તો અંહી 'ફીફો-ફ્રસ્ટ ઈન ફસ્ટ આઉટ'પધ્ધતી લાગુ પડે છે એટલે કે જાન્યુ-૨૦૦૮ માં જેટલાં યુનીટની ખરીદી કરી હતી તેટલાં જ યુનીટ ફેબ્રુ-૨૦૦૯ માં વેચીએ તો તેને એક વર્ષ પુરું થઈ ગયું હોવાથી તેનાં પર કેપીટલ ગેઈન ટેક્ષ લાગતો નથી.
આમ,સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ નિયમિત રીતે,શીસ્તબધ્ધ રોકાણ કરવાની એક આદર્શ પધ્ધતી છે જેમાં ઓછાં જોખમે વધારે વળતર મેળવવાની આશા રાખી શકાય છે અને સાથે સાથે ઓછાં રુપીયામાં પણ સારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનીંગ થઈ શકે છે અને આથી જ સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન એ રોકાણ કરવા માટે નો એક ઉતમ વિકલ્પ છે.




2 ટિપ્પણીઓ:

અજ્ઞાત કહ્યું...

ee bapu .... tamaro blog update to karo saheb.........

અજ્ઞાત કહ્યું...

tame ketala Rs kamana share ma