બુધવાર, 13 ઑગસ્ટ, 2008

બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે આજથી જ રોકાણ કરો.


બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે આજથી જ રોકાણ કરો.
પોતાના બાળકનું ઉજળું ભવિષ્ય એ દરેક મા-બાપ નું અગ્રીમ ધ્યેય હોય છે.જ્યારે બાળકો માટે કંઈપણ ખર્ચ કરવાની વાત આવે ત્યારે મા-બાપ પોતે પોતાનાં માટેનાં ખર્ચમાં કાપ મુકીને,ગમે તેવું ચલાવીને પણ બાળકોને સર્વોતમ આપવાની કોશીષ કરતાં હોય છે.દરેક મા-બાપ પોતાનાં બાળકોનાં ભરણ-પોષણ તથા ભણતર બાબતે જરાપણ નબળું ચલાવી લેવાનાં મુડમાં હોતા નથી.પરંતુ હવે આજનાં સમયમાં ભણતરનાં ખર્ચાઓ ખુબ વધી ગયાં હોવાથી સામાન્ય વર્ગનાં લોકો માટે તો પોતાનાં બાળકોને સારી સ્કુલ-કોલેજોમાં ભણાંવવું અશક્ય થઈ ગયું છે તેમજ મધ્યમ વર્ગનાં લોકો માટે પણ આ ખર્ચાઓ ઉપાડવા અસહ્ય થઈ ગયા છે.જે મા-બાપ પોતાનાં બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે અત્યારથી જો નિયમીત રીતે રોકાણ કે બચત નહીં કરે તો તેઓ માટે તેમનાં બાળકોને સારી શૈક્ષણીક સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરાવવાનાં સપનાંઓ માત્ર સપનાં જ બની રહેશે.વિશ્વનાં બીજા દેશોમાં જેમ યુવાનો ભણવાની સાથે કામ કરીને પોતાનાં ભણતરનાં ખર્ચાઓ પોતેજ ઉપાડતાં હોય છે તેનાંથી વિરુધ્ધ ભારતમાં હજુપણ બાળકોને ભણાવવાની જવાબદારી મા-બાપનાં ખભા પર જ રહે છે.
વર્તમાન સમયમાં સારી શૈક્ષણીક સંસ્થાઓમાં એમ.બી.એ. કરવાનો કુલ ખર્ચ ૧૧ લાખ જેટલો થાય છે.હવે જો સરેરાશ ૮% લેખે ફુગાવાનો દર ધારીએ તો આજથી ૧૫ વર્ષ પછી તે ખર્ચ ૩૫ લાખ જેટલો થઈ જશે.જો કોઈ મા-બાપ અત્યારથી દર મહીને જો ૮૫૦૦ રુપિયાની બચત ૧૫ વર્ષ સુધી કરશે તો તે વખતે આટલાં રુપિયા ભેગાં થઈ શકશે.
પરંતુ દુઃખની વાત એ છે કે આપણાં વ્યક્તિગત નાંણાંકીય આયોજનો માં કે કુટુંબની બચતોમાં બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે કોઈ અલગથી જોગવાઈ રાખવામાં આવતી નથી.બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે નીચે મુજબનાં બે સિધ્ધાંતો મુજબ આયોજન કરી શકાય.
(૧).અત્યારથી નિયમિત રીતે રોકાણ કરવું.
(૨).કોઈપણ આકસ્મિક ઘટનાં સામે નાંણાંકીય સુરક્ષા મેળવવી.
હાલ,માર્કેટમાં બાળકો માટે ઘણાંબધાં પ્રકારનાં ઇન્શ્યુરન્સ પ્લાન ઉપલબ્ધ છે જેનાં દ્વારાં બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે આયોજન કરી શકાય છે.જેમાં મુખ્યત્વે બે પ્રકાર છે ૧,યુનીટ લીંક ઇન્શ્યુરન્સ પ્લાન(યુલીપ),૨,મનીબેક પ્લાન.

યુલીપ પ્લાન પ્રમાણમાં ખુબજ સરળ તથા સુગમ છે જેમાં પોલીસી ની ટર્મ તેમજ વિમાની રકમ આપણી જરુરીયાત મુજબ રાખી શકાય છે તેમજ જ્યારે જરુર પડે ત્યારે ઉપાડ પણ કરી શકાય છે.જ્યારે મનીબેક પ્લાનમાં અમુક નિયત સમયે જ તેમાંથી તબક્કાવાર રુપિયા પરત મળે છે.સામાન્ય રીતે ચીલ્ડ્ર્ન પ્લાન ની ટર્મ ૧૫ વર્ષની હોય છે.અને ૦ થી ૧૫ વર્ષનાં બાળકો માટે આ પોલીસી લઈ શકાય છે.સામાન્ય રીતે દસમું ધોરણ,બારમું ધોરણ,ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન વખતે વધારે રુપિયાની જરુરિયાત પડ્તી હોય છે તો આ માટે યુલીપ પ્લાનમાંથી જરુરીયાત મુજબ તબક્કાવાર ઉપાડ કરી શકાય છે,આ ઉપરાંત જો બાળકનાં પિતાનું મ્રુત્યુ થાય તો તવાં સંજોગો માં તેનાં કુટુંબીજનોને વિમાની રકમ મળે છે જેનાંથી ભવિષ્યની જવાબદારીઓ ઉપાડી શકાય છે.અને પોલીસી ત્યાં પુરી થઈ જાય છે.અમુક વિમા કંપનીઓની એવી પોલીસીઓ પણ ઉપલબ્ધ છે કે જેમાં જો પિતાનું મ્રુત્યું થાય તો તાત્કાલીક ધોરણે તેનાં કુટુંબીઓ ને વિમાની રકમ તો મળે જ છે તે ઉપરાંત પોલીસી ત્યાં પુરી થતી નથી ,પોલીસી ચાલુ રહે છે અને બાકી રહેતાં પ્રીમીયમ વિમા કંપની પોતે તેનાં વતી ભરે છે તેથી પોલીસી ની મુદત પુરી થયે એક મોટી રકમ પરત મળે છે એટલે જે હેતુ થી પોલીસી લેવામાં આવી હોય તે હેતુ કોઈપણ સંજોગો માં પણ સિધ્ધ થઈને જ રહે છે.

આમ,પોતાની જરુરીયાત મુજબ નિયમિત રીતે આજથી જ રોકાણ ચાલુ કરી બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ સામે સુરક્ષા મેળવી શકાય છે.

1 ટિપ્પણી:

અજ્ઞાત કહ્યું...

bapu kaik update to karo saheb....