શુક્રવાર, 3 ઑક્ટોબર, 2008

બેંક માં જમા રાખેલા તમારાં રુપીયા કેટલાં સલામત છે?


અમેરીકાની વિશાળકાય નાંણાંકીય સંસ્થાઓ પતાનાં મહેલની જેમ પડવા લાગી છે તેમાં ઘણીબધી બેંકો તેમજ વ્યક્તિગત રોકાણકારોનાં કરોડો-અબજો રુપીયા ફસાઇ ગયા છે આવા સંજોગોમાં આપણને બધાંને એક સામાન્ય પ્રશ્ન મનમાં ઉદભવે કે બેંકમાં જમા રાખેલાં આપણાં રુપીયા કેટલાં સલામત છે?
તાજેતરમાં જ ભારત માં થયેલાં એક સર્વે દ્વારાં એવી વિગતો બહાર આવી છે કે ૮૫% ભારતીયો પોતાની બચતો રોકડ સ્વરુપે રાખે છે એટલે કે કાં તો બેંક માં જમા કરાવે છે યા તો પોતાનાં ઘરે રાખે છે.તે ઉપરાંત બેંક માં બચત જમા કરાવનાર લોકોમાંથી ૮૭% લોકો એવું માને છે કે તેમણે બેંક માં જમા કરાવેલા રુપીયા ૧૦૦% સલામત છે અને ફીકસ્ડ ડીપોઝીટ તો સૌથી સલામત છે એવી માન્યતા પ્રવર્તે છે.
તો હવે ફરીથી એ જ સવાલ કે શું બેંકમાં જમા રાખેલાં આપણાં રુપીયા ખરેખર સલામત છે?તો એનો જવાબ છે 'ના'
ભારત માં જો કોઇ બેંક ઉઠી જાય એટલે કે નાદારી નોંધાવે તો તેની સામે તેનાં થાપણદારો ને ફક્ત એક લાખ રુપીયા ની રકમ સુધીનું જ વિમા કવચ આપવામાં આવે છે.આજનાં સમય માં આટલું રક્ષણ અપુરતું ગણાય તેમજ ૨૦૦૯ થી ભારતનાં બેંકીંગ ક્ષેત્રે ઘણાંબધાં પરીવર્તનો અપેક્ષીત છે,વિદેશી બેંકો પણ ભારત માં તેની કામગીરી ફેલાવશે તેવાં સંજોગો માં થાપણદારોની થાપણોનું રક્ષણ કરવાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવી એ સરકાર માટે ખુબજ અનીવાર્ય છે નહીં તો લોકોનો બેંકીંગ સેવા પરનો વિશ્વાસ ઉઠી જશે.


#ડીપોઝીટ ઇન્શ્યુરન્સ અને ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન(DICGC)નું કાર્ય શું છે?
ભારત માં જો કોઇ બેંક નાદારી નોંધાવે તો થાપણદારોને એક લાખ સુધીની રકમ વિમાનાં વળતર રુપે DICGC દ્વારાં આપવામાં આવે છે.એટલે કે જો કોઇ એક બેંક માં તમારાં રુ.૭૦,૦૦૦ ફીકસ્ડ ડીપોઝીટ માં,રુ.૨૫,૦૦૦ બચત ખાતામાં તેમજ રુ.૨૦,૦૦૦ ચાલુ ખાતા માં જમા હોય અને જો તે બેંક ડુબી જાય તો તમને કુલ રુ.૧,૦૦,૦૦૦ નું વળતર DICGC દ્વારાં મળે એનો મતલબ કે તમને રુ.૧૫,૦૦૦ નું નુક્શાન થાય.ભારતની તમામ કોમર્શીયલ બેંકો તેમજ વિદેશી બેંકોનાં થાપણદારો ને પણ DICGC દ્વારાં એક લાખ સુધીનું વિમા કવચ આપવામાં આવે છે.


#શું DICGC દ્વારાં ફક્ત થાપણ ની મુદલ રકમ પર જ વિમા સુરક્ષા પુરી પાડવામાં આવે છે કે તેનાં પર મળેલાં વ્યાજ ની રકમ પર પણ વિમો આપવામાં આવે છે?
DICGC દ્વારાં થાપણ તેમજ તેનાં પર મળતાં વ્યાજનો પણ વિમાની રકમમાં સમાવેશ કરવામાં આવે છે.બેંક જે તારીખ થી ફડચા માં જાય તે તારીખ સુધીનું વ્યાજ ગણવામાં આવે છે.પરંતુ આ કુલ રકમમાં વધુ ને વધુ એક લાખ સુધીનું જ વળતર મળી શકે તે ઉપરાંત ની રકમનો સમાવેશ વિમા કવચ માં થતો નથી.


#DICGC વિમાનાં દાવા ની રકમ ક્યારે ચુકવે છે?
બેંક તરફ થી દાવાની રકમ અને નામની યાદી જે તારીખે DICGC ને મળે તે તારીખથી બે મહીનાં સુધીમાં દાવાની પતાવટ થઈ જવી જોઇએ પરંતુ તેમાં વધારાની એક શરત ઉમેરવામાં આવી છે જે મુજબ ફડચામાં ગયેલી બેંકે તેનાં તમામ પ્રકારનાં કામકાજ પુર્ણતઃ બંધ કરી દીધેલાં હોવા જોઇએ ત્યાર પછી જ DICGC દાવાની પતાવટ કરી શકે.આ કારણે દાવાની પતાવટમાં વર્ષો નીકળી જતાં હોય છે.આવી રીતે રુ.૪૦૦ કરોડ જેટલી રકમ નાં દાવાઓની પતાવટ હજી સુધી પડ્તર છે.નેશનલ કન્ઝ્યુમર કમીશન દ્વારાં આ નિયમમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી છે જો આ ભલામણ સ્વીકારાશે તો વળતરનાં દાવાઓનો ઝડપી નિકાલ થશે.


# તો હવે,તમારી થાપણો વધારે સુરક્ષીત કેવી રીતે બનાવશો?
રોકાણનો એક સોનેરી સિધ્ધાંત છે કે 'બધાં ઇંડા એક જ ટોપલાંમાં ના રાખવા જોઇએ' તે મુજબ,
,તમારી મુડીને જુદી જુદી જગ્યાએ વહેંચી દો, દા.ત. એક લાખ સુધીની રકમ બચત ખતામાં રાખો એ સિવાય ધંધાનાં નામનાં ખાતામાં પણ એક લાખ સુધીની રકમ જમા કરાવો જેથી દરેક એકાઉન્ટ ને એક-એક લાખ નાં વિમાનું કવચ મળે છે જેથી તમામ રકમ સુરક્ષીત રહે છે.
,એ સિવાય તમારાં નામનું ચાલુ ખાતુ હોય તો અમુક રકમ તેમાં રાખવી બાકીની રકમ માટે સંયુક્ત ખાતું ખોલાવી શકાય.સંયુક્ત ખાતાને પણ અલગ થી એક લાખનાં વિમાનું કવચ મળે છે.

૩,એક જ બેંક માં બધી થાપણો મુકવાને બદલે જુદી-જુદી બેંકોમાં થાપણ રાખવી સારી અને દરેક ખાતામાં એક લાખથી વધારે રકમ ન રાખવી આવું કરવાથી દરેક થાપણને પુરેપુરું રક્ષણ મળી રહે છે.
,તેમજ પરિવાર નાં અન્ય સભ્યોનાં નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેંમાં એક એક લાખ સુધીની થાપણો મુકી શકાય જેથી તમામ રકમને વિમા સુરક્ષા મળી રહે.
આમ, હવેનાં બદલાતાં સમયમાં તેમજ અનિશ્ચિત આર્થિક વાતાવરણમાં આપણે વધારે સતર્ક થવું અનિવાર્ય થઈ ગયું છે તેમજ બેંકો માં રુપિયા જમા કરાવતાં પહેલાં પણ વ્યવસ્થિત આયોજન કરવું જરુરી થઈ ગયું છે.

ટિપ્પણીઓ નથી: