બુધવાર, 15 જુલાઈ, 2009

બજેટ-૦૯ દેશનાં નાનાં રોકાણકારોની આશાઓ પર ઠંડુ પાણી રેડાયું

દિવા સ્વપ્ન સમાન બજેટમાં કોઈ નક્કર સુધારાઓ નહીં.મોંઘવારી કાબુમાં લેવા માટે કોઈ આયોજન નહીં.શેરબજાર માટે કપરો સમય.
પ્રણવ મુખરજીનાં બજેટ-૦૯ એ દેશનાં નાનાં રોકાણકારોની આશાઓ પર રીતસરનું ઠંડુ પાણી રેડ્યું છે.આજે જ્યારે સમગ્ર દેશ કોંગ્રેસ સરકારની આર્થીક નીતિઓ તેમજ વૈશ્વીક મંદીની અસરોને લીધે તમામ ક્ષેત્રે મંદીનો સામનો કરી રહ્યો હોય તેમજ દેશમાં મોંઘવારીએ માઝા મુકી હોય તેવાં સંજોગોમાં દેશની જનતાને આ બજેટ પર ખુબ મોટી આશાઓ હતી પરંતુ દુઃખ ની વાત એ છે કે નાણાંમંત્રીએ આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈ નક્કર પગલાંઓ લેવાને બદલે એક દિવા સ્વપ્ન સમાન બીલકુલ સામાન્ય સુધારાઓ સાથેનું એક દિશાહીન બજેટ રજુ કર્યું હતું.ભારતનાં શેરબજારમાં લાંબી મંદી બાદ ફરીથી એક હલચલ શરુ થઈ હતી તેવાં સંજોગોમાં આ બજેટ આગામી શેરબજારની દિશા અને દશા નક્કી કરશે તેવી આશા દેશનાં રોકાણકારો સેવતાં હતા.સીક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કે જે નાનાં રોકાણકારો માટે ભારે બોજા સમાન છે પરંતુ આ ટેક્સ નાબુદ કરવાની કોઈ જાહેરાત આ બજેટમાં કરવામાં આવી નથી તેને બદલે કોમોડીટીનાં સટ્ટાઓ કે જેને લીધે જીવન જરુર ખાધ પદાર્થોનાં ભાવો આસમાને ચડ્યાં છે તેને વધુ પ્રોત્સાહન આપતાં કોમોડીટી ટ્રાન્ઝેકશન ટેક્સ નાબુદ કરવામાં આવ્યો છે જેનો મોટો ફાયદો દેશનાં નાનાં રોકાણકારો ને નહીં પરંતુ કોમોડીટીમાં મોટા સટ્ટાઓ ખેલતી કંપનીઓ ને જ થશે.આવકવેરા નાં દરોમાં પણ મોટા ફેરફારોની આશાઓ હતી પરંતુ તેને બદલે સામાન્ય વર્ગ તેમજ સ્ત્રીઓ ની આવકમર્યાદા માં ફક્ત રુ ૧૦,૦૦૦ અને વરિષ્ઠ નાગરીકો માટે ફક્ત રુ.૧૫,૦૦૦ નો વધારો કરી આમ આદમીનાં દિલ બહેલાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવામાં આવ્યો છે.અ સિવાય પેટ્રોલથી ચાલતાં ટ્ર્કો પરની એક્સાઈઝ ડ્યુટી માં ૧૦% ની રાહત આપવામાં આવી છે.પરંતુ મને લાગે છે કે પ્રણવ મુખરજી સાહેબ એ ભુલી ગયાં લાગે છે કે ભારતમાં મોટા ભાગની ટ્ર્કો પેટ્રોલ થી નહીં પરંતુ ડિઝલથી ચાલે છે તેથી આ જોગવાઈ પણ અર્થહીન છે.આ બજેટમાં પરોક્ષ વેરામાં કરાયેલાળ ફેરફારો નાં પરીણામે સરકારને રુ.૨૦૦૦ કરોડની વધારાની આવક થશે જે સામાન્ય પ્રજા માટે આર્થીક બોજા સમાન બની રહેશે.નાણાંમંત્રીએ ખાધ પદાર્થો,દવા,પેપર,કલાકૃતી,પ્રેશર કુકર,વોટર ફિલ્ટર,પ્યુરીફાયર અને વોટર પંપને બાદ કરતાં બાકીની તમામ વસ્તુઓ પરની એક્સાઈઝ ડ્યુટી ૪% થી વધારીને ૮% કરી છે જેને પરીણામે દેશમાં મોંઘવારીનું પ્રમાણ હજુ વધશે તેમાં કોઈ બે મત નથી.
દેશનાં ઉત્પાદન ક્ષેત્રની હાલત અત્યારે ખુબ જ ગંભીર છે.તેમજ દેશની કુલ નિકાસમાં ૪૦% જેટલો ઘટાડો નોંધાયો છે તેવાં સંજોગોમાં નાણાંમંત્રીએ જહાજ તેમજ રેલ્વે દ્વારાં થતી માલની હેરાફેરી પર સર્વીસ ટેક્સ લગાડ્યો છે જે ખરેખર દાઝ્યા પર ડામ દેવા સમાન છે.ભારતનાં કોર્પોરેટ જગત માટે પણ FBT હટાવવા સિવાય બીજી કોઈ મહત્વની જાહેરાતો કરવામાં આવી નથી તેમજ વકીલો અને ચાર્ટડ એકાઉન્ટન્ટો ની સેવાઓને પણ સર્વીસ ટેક્સમાં આવરી લેવામાં આવી છે જેને પરીણામે ઉધોગ ગૃહો અને વેપારીઓનાં ખર્ચમાં પણ વધારો થશે.કરવેરામાં તેમજ એક્સાઈઝ ડ્યુટીમાં વધારો થવાને પગલે ભારતનું ઉત્પાદન ક્ષેત્ર ચીનની હરીફાઈ કરવામાં નિષ્ફળ જશે પરીણામે દેશમાં મંદીનું પ્રમાણ વધશે તેમજ બેરોજગારી માં પણ વધારો થશે.
આમ,બજેટ ૨૦૦૯-૧૦ એ દેશનાં દરેક ક્ષેત્રો માટે નિરાશાજનક રહ્યું તેને પરીણામે આગામી સમય દેશનાં શેરબજાર માટે વધુ કપરો રહેશે.

2 ટિપ્પણીઓ:

Dilip Barad કહ્યું...

Your comments are very good.

Unknown કહ્યું...

Your comments are very good, This govt. is only increase all type of taxes. Before election all items and sector rate are going down but once election over situation are reverse (Agri. products, Fuel, Gold, AIF etc.)