સોમવાર, 18 માર્ચ, 2013

ભારતની આર્થીક પ્રગતીનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે.

વિશ્વ કક્ષાની રેટીંગ એજન્સીઓ એ ચેતવણી આપી છે કે જો ભારત સરકાર નિતીલક્ષી નિર્ણયોમાં સક્રીયતા નહીં લાવે તો ભારતનાં ક્રેડીટ રેટીંગ ને જંક નો દરજ્જો આપી દેશે.આપણાં આર્થીક નિષ્ણાંત વડા પ્રધાનશ્રી એ આ બાબતનો પ્રતીભાવ આપતા જણાંવ્યુ હતું કે ''જો ભારતને જંક નો દરજ્જો મળશે તો અનેક પેન્શન ફંડૉ અને વિદેશી રોકાણકારો શેર બજારમાંથી અબજો રુપીયા પાછા ખેંચી લેશે તેનાં કારણે રુપીયો ડોલર સામે ૫૫ રુ.થી ઘટીને ૬૦ રુ. થઈ જશે,આયાત મોંઘી થશે અને દેશમાં ફુગાવો વધીને ૧૫% સુધી પહોંચી જશે.''મનમોહનસીંઘનાં આ બયાનમાં ખુશ થવા જેવું ફક્ત એક જ છે કે અંતે તેમણે વાસ્તવિક્તાનો સ્વીકાર તો  કર્યો.પરંતુ દુઃખની વાત એ છે કે ભારતની જનતા એ બે-બે વખત વિશ્વાસ મુકી ને કોંગ્રેસને ભારતનું સુકાન સોંપ્યું અને જે સરકારનાં વડાપ્રધાન અને નાણાંમંત્રી બંને આર્થીક બાબતો નાં નિષ્ણાંત હોવા છતાં છેલ્લાં નવ વર્ષથી દેશ ની આર્થીક પ્રગતી નો ગ્રાફ સતત નીચે જ જઈ રહ્યો છે.ભારતનો આર્થીક વૃધ્ધી દર ઘટીને ૫% થઈ ગયો જે છેલ્લાં દશકાનો સૌથી ઓછો આર્થીક વિકાસ દર છે.તેને લીધે ભારતમાં આર્થીક તકો અને રોજગારીમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે.સાથે સાથે ફુગાવો પણ કુદકે ને ભુસકે વધી રહ્યો છે.તાજેતરમાં જ ભારત સરકારનાં જ એક વિભાગ નેશનલ સ્ટેટેસ્ટીકલ કમીશનનાં આંકડાઓ મુજબ ભારતમાં રીટેલ ફુગાવાનો દર વધીને ૧૦.૮૦ ટકા એ પહોંચ્યો છે અને ખાધ ફુગાવાનો દર વધીને ૧૩.૩૬ ટકા એ પહોંચ્યો છે.જેને પરીણામે મોંઘવારીએ માઝા મુકી છે.સામાન્ય અને મધ્યમ વર્ગ માટે જીવન ગુજારવું ખુબજ મુશ્કેલ થઈ ગયું છે.ગરીબ વધારે ગરીબ બનતો જાય છે.પ્લાનીંગ કમીશનનાં આંકડાઓ મુજબ ૨૦૦૨-૩ માં દેશમાં ૨૭% લોકો ગરીબી રેખા નીચે જીવતાં હતાં.જ્યારે ૨૦૧૦-૧૧ માં ૬૦% લોકો ગરીબી રેખા નીચે જીવન ગુજારે છે.દેશનાં દરેક વર્ગનાં લોકો માં સરકાર પ્રત્યે ઘોર નિરાશા વ્યાપી ગઈ છે ત્યારે છેલ્લાં છ-એક મહીનાં થી સરકાર સફાળી નીંદરમાંથી જાગી હોય તેમ અચાનક સક્રીય સુધારાવાદી વલણ અપનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે.મલ્ટી બ્રાન્ડ રીટેલ,રેલ્વે ભાડાં નો વધારો,પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો,એલ.પી.જી.ગેસ કનેક્શન અને સિલીંડરમાં કાપ,જનરલ એન્ટી એવોઇડન્સ ટેક્સનાં મુદ્દે વિદેશી રોકાણકારોનાં ભયને દુર કરવાનો પ્રયાસ,સબસીડીમાં ઘટાડો વગેરે.આ તમામ પગલાંઓ દેશની રાજકોષીય ખાધને ઘટાડવાની કવાયત રુપે લેવામાં આવી રહ્યાં છે.કારણ કે આપણાં નાણાં પ્રધાન સાહેબ તેમનાં વિદેશ પ્રવાસો માં રોકાણકારોને આ વર્ષે દેશમાં રાજકોષીય ખાધ ઘટાડીને આ વર્ષે જી.ડી.પી.નાં ૫.૩% અને આવતાં વર્ષે જી.ડી.પી.નાં ૪.૮% કરવાની ખાતરી આપી રહ્યાં છે.પરંતુ એવું લાગી રહ્યું છે કે આ તમામ પગલાંઓ અંતે દેશમાં ફરીથી મોંઘવારીને જ વેગ આપશે.રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે સરકાર પોતાનાં પ્રધાનો નાં ખર્ચાઓ પર કાપ મુકી શકે,કૌભાંડૉ માં ખવાઈ ગયેલાં નાણાં પરત લાવવાં કડક પગલાંઓ લઈ શકે,વિદેશોમાં પડેલું કાળું ધન પરત લાવી શકે,ટેક્સ ચોરી સદંતર બંધ કરાવી શકાય,ગેરકાયદેસર ખનીજ કામ બંધ કરાવી શકાય,ભ્રષ્ટાચાર નાબુદ કરાવી દેશનું ધન બચાવી શકાય,આમ,આ પ્રકારનાં અનેક પગલાંઓ દ્વારાં પણ ખાધ ને કાબુમાં લાવી શકાય.આમ જોઈએ તો ભારત માટે રાજકોષીય ખાધ અને ચાલુખાતાની ખાધ નો પ્રશ્ન ઘણો જુનો છે.નાણાંમંત્રી તરીકે ની અગાઉની ટર્મમાં પણ શ્રી ચિદમ્બરમ સાહેબ આ બાબતે ખાસ કંઈ કશુ સુધારી શક્યાં નહોતા.હાલ ચુંટણી નાં દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે સરકાર થોડૂં સુધારાવાદી વલણ અપનાવે એ સ્વાભાવિક છે. પરંતુ જનતા ને હવે આ સરકાર પાસે થી કોઈ આશા રહી ના હોય તેવું સ્પષ્ટ દેખાય છે.   

1 ટિપ્પણી:

Patel કહ્યું...
આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.