ગુરુવાર, 10 જુલાઈ, 2014

બેહતરીન બજેટઃભારતનું અર્થતંત્ર ફરીથી બેઠું થશે.શેરબજારમાં તેજીનો સિલસિલો ચાલુ રહેશે.



કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાયા પછીનું મોદી સરકારનું પ્રથમ બજેટ નાણાંમંત્રી અરુણ જેટ્લી દ્વારાં આજે સંસદમાં રજુ થયું.અત્યાર સુધી ભાજપનાં ચુંટણી પ્રચારમાં ભારતનાં વિકાસની અને સારાં દિવસો આવશે તેવી વાતો થઈ,ત્યારબાદ ભાજપનાં ચુંટણી ઢંઢેરામાં પણ ભારતનાં વિકાસ માટેનાં વચનો અપાયા,પરંતુ મોદી સરકારનાં આ પ્રથમ બજેટ દ્વારાં એ વાત સાબીત થાય છે કે અત્યાર સુધી ભાજપ દ્વારા જે વચનો અપાયા તે વચનો પુરાં કરવા માટે આ સરકાર પુરે પુરી કટીબધ્ધ છે.પહેલી નજરે બજેટ જોતાં જ ખ્યાલ આવે કે આ એક અર્થપુર્ણ અને લાંબાગાળાનાં વિઝન સાથેનું સકારાત્મક બજેટ છે.ખુબ જ ટુંકાગાળામાં તૈયાર થયેલાં આ બજેટમાં સરકારે નીતિલક્ષી નિર્ણયો દ્વારાં અર્થતંત્ર ને વેગ મળે,મોંઘવારી ઘટે અને છેવાડાનાં માનવીનો પણ વિકાસ થાય તેવાં પગલાંઓ લીધાં છે.આ બજેટ માટે સરકાર અભીનંદન ને પાત્ર છે.

નાનાંરોકાણકારો અને શેરબજારને લાગે વળગે છે તેવી જોગવાઈઓની જો વાત કરીએ તો આ બજેટ લોકોની બચતોને વેગ આપશે.છેલ્લાં છ-સાત વર્ષથી મધ્યમ વર્ગ અને નોકરીયાત વર્ગ જેની રાહ જોતાં હતા તે ઈન્કમટેક્સ સ્લેબમાં છુટની સીમા વધારવામાં આવી,૮૦સી હેઠળ ટેક્સમાં છુટ મેળવવા માટે રોકાણની સીમામાં વધારો,પીપીએફની રોકાણ મર્યાદામાં વધારો,હોમલોનનાં વ્યાજની ઈન્કમટેક્સમાં અપાતી છુટમાં પણ વધારો.આમ,આ નવાં ફેરફારોને લીધે લોકોની બચતમાં વધારો થશે અને તે બચત રોકાણોમાં પરીવર્તીત થઈ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે શેરબજારમાં આવશે તેથી બજારમાં ફરીથી ધમધમાટ આવશે.નાનાં રોકાણકારો જે છેલ્લાં સાત-આંઠ વર્ષથી શેરબજારથી દુર થઈ ગયા હતાં તે ફરી થી બજારમાં સક્રીય થશે.તેથી બજારનાં વોલ્યુમમાં પણ વધારો થશે.એ જ રીતે જીવન જરુરી ચીજ વસ્તુઓ પર ટેક્સમાં રાહત આપવાથી ભાવો ઘટશે તેથી લોકોની બચતમાં વધારો થશે.મોંઘવારી રોકવા માટે બજેટમાં ૫૦૦ કરોડનાં ફંડની જોગવાઈ કરેલી છે.તેથી લાંબાગાળે મોંઘવારી ઘટશે અને લોકોની બચતોમાં વધારો થશે જે અર્થતંત્ર માટે ફાયદારુપ બનશે.બજેટમાં સરકારે લીધેલાં કેટલાંક નીતિલક્ષી નિર્ણયો પણ અર્થતંત્રને વેગ આપશે.રેલ્વે બજેટમાં એફડીઆઈની જાહેરાત કર્યા બાદ આ બજેટમાં કેન્દ્ર સર્કારે ડિફેન્સ અને વિમા ક્ષેત્રો માટે પણ એફડીઆઈ ની મર્યાદા વધારવાની જાહેરાત કરૂ છે.આ ક્ષેત્રોમાં વિસ્તરણ માટે મોટાં રોકાણોની જરુર છે જે હવે એફડીઆઈ દ્વારાં શક્ય બનશે.આમ,જોઈએ તો મોદી સરકારનું પહેલું બજેટ બજારને ખુશ રાખવામાં સફળ રહ્યું છે.બજારમાં તેજીનો સિલસિલો ચાલુ રહેશે.બેંક અને આઈટી સેક્ટર માટે આવતું વર્ષ સાધારણ રહેશે.જ્યારે સિમેન્ટ,પાવર,ઈન્ફ્રાસ્ટ્ર્કચર અને કૃષી સંલગ્ન ક્ષેત્રોમાં તેજીનો સંચાર થશે.બીજાં સારાં સમાચાર એ છે કે FII ચાઈના માટે નેગેટીવ છે અને ભારત માટે પોઝીટીવ છે.હાલનાં સ્તરે થી બજાર મજબુત રહેશે.આવનારાં બે થી ત્રણ વર્ષ માટેનાં લાંબા સમય માટે શેરબજારમાં રોકાણૉનું આયોજન કરી શકાય.

રવિવાર, 6 જુલાઈ, 2014

શેર બજારમાં સારાં દિવસો શરુ,આગામી છ મહીનાંમાં સેન્સેક્સ ૩૦૦૦૦ પાર,મોદી મેનેજમેન્ટ પર FII ફીદા,કેન્દ્રીય બજેટ આકરું છતાં અર્થતંત્ર માટે અસરકારક રહેશે.

ભારતીય શેરબજાર છેલ્લાં પાંચ-છ વર્ષથી સુષુપ્ત અવસ્થામાં હતું.રીટેલ રોકાણકારો બજારથી દુર ચાલ્યાં ગયાં હતાં.બજાર મંદીની પક્ક્ડમાં હતું.કેન્દ્રની કોંગ્રેસ સરકારની અનિર્ણાયક્તા,કૌભાંડો અને અણઘડ વહીવટને લીધે ભારતીય અર્થતંત્ર ની ગતિ પણ મંદ પડી ગઈ હતી.તેથી વૈશ્વિક રોકાણકારો નો વિશ્વાસ પણ ભારતીય અર્થતંત્ર પરથી ઉઠી ગયો હતો.આવાં સંજોગો માં ભારતીય જનતાએ નરેન્દ્રભાઈ મોદી ની વિકાસની રાજનીતિ પર વિશ્વાસ મુકી તેને ખોબલે ખોબલે મત આપી તેઓ સ્વતંત્ર રીતે સરકાર ચલાવી શકે તેવી જંગી બહુમતીથી ચુંટી કાઢ્યા.મોદી સરકાર બનતાંની સાથે જ ભારતીય અર્થતંત્ર અને શેરબજારમાં ઘણાં વર્ષો પછી હકારાત્મક વાતાવરણ બન્યું.પછી ભલે મોદી સરકાર નાં હાથમાં દેશની ખાલીખમ તીજોરી આવી એ અલગ વાત છે પરંતુ લોકો ને ઘણાં વર્ષો પછી કામ કરતી સરકાર મળ્યાનો અહેસાસ થયો છે તેમાં કોઈ બે મત નથી.દેશની જનતાનાં આ વિશ્વાસ ને માપવાની ફુટપટ્ટી એટલે શેરબજાર.મોદી સરકાર બનતાં જ શેરબજારમાં ઘણાં વર્ષો પછી ફરીથી ધમધમાટ ચાલુ થયો છે.જુન મહીનામાં સેન્સેક્સમાં ચાર ટકાનો ઊછાળો જોવા મળ્યો.FII એ પણ જુન મહીનામાં ડેટ અને ઈક્વીટી બંન્ને થઈ ૩૨૦૦૦ કરોડની ચોખ્ખી ખરીદી ભારતીય બજારો માં કરી હતી.આમ જોઈએ તો શેરબજાર માં સારાં દિવસો શરુ થઈ ચુક્યા છે એમ કહી શકાય.આગામી છ થી આઠ મહીનામાં સેન્સેક્સ ૩૦૦૦૦ નો આંક વટાવે તો બહુ નવાઈ પામવા જેવું નથી.

કેન્દ્રીય બજેટ

બજેટ પહેલાં બજારે સારી તેજી દેખાડી છે.નવી સરકારનાં બજેટ પાસેથી બજારને ખુબ મોટી અપેક્ષા છે.મોદી સરકારનું પહેલું બજેટ આકરું હોવાનું. કારણકે મોદીએ અગાઉ પણ કહેલું કે થોડાં કડવાં ડોઝ લેવાં પડશે અને રેલ્વેમાં ભાવ વધારા દ્વારાં તેનાં મુડનો અહેસાસ પણ કરાવ્યો.અર્થતંત્રની ગાડીને ફરીથી પાટા પર ચડાવવાં આવાં થોડાં કડવાં ડોઝ જરુરી છે.તેનાં હકારાત્મક પરીણામો આપણને આગામી ૨-૩ વર્ષે જરુરથી જોવાં મળશે.આમ,આગામી બજેટ પહેલી નજરે આકરું લાગશે પરંતુ અર્થતંત્ર ની તંદુરસ્તી માટે સારું હશે.FII તથા લાંબાગાળાનાં રોકાણકારો પણ આજ ઈચ્છ્તાં હોય છે.આ બજેટમાં સરકાર નાણાંકીય ખાધને કાબુમાં લેવાં માટે મોટાં પગલાઓ લઈ શકે છે તેમજ ટેક્સ અને FDI નાં મામલામાં પણ સરકાર તરફ્થી મોટી જાહેરાતો થઈ શકે છે.સ્પષ્ટ બહુમતી હોવાથી સરકાર નાણાંકીય અનુશાશન ની દિશામાં પણ કડક પગલાંઓ લઈ શકે છે તેમજ બિન યોજનાકીય ખર્ચાઓમાં ઘટાડો કરશે જેની સીધી હકારાત્મક અસર બજાર પર દેખાશે.હાલ અર્થતંત્રમાં સુધારાનાં આશાવાદ ને લીધે રેલી થઈ રહી છે.આ રેલી ને આગળ ધપાવવા બજેટમાં પોલીસી રીફોર્મ માટે કડક પગલાં લેવા જરુરી છે જે રીતે સરકારે રેલ્વે નાં ભાડાં વધાર્યા છે તેવી જ રીતે અન્ય સબસીડી પણ ઘટાડવામાં આવે તો બજાર પર તેની સારી અસર થશે.જીએસટી,નાંણાંકીય ખાધ,FDI નાં નિયમો,બિઝનેશ કરવામાં સુવીધા,ગેસ પ્રાઈસીંગ પરનો રોડમેપ વગેરે પર બજારની નજર રહેશે.જીએસટી લાગુ પડવાની ચોક્કસ તારીખની જાહેરાત આ બજેટમાં થઈ શકે છે.જીએસટી લાગુ પડવાથી દેશનાં જીડીપી ગ્રોથ માં સીધો જ ૧ થી ૧.૫ ટકાનો સુધારો થઈ શકે છે.

રોકાણનું આયોજન

આવતાં એક મહીનાં સુધી બજારમાં મોટાં ઈવેન્ટ ચાલુ રહેવાનાં છે.જેથી બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેશે.જો બજેટમાં મોટાં નિર્ણયો ના થાય,ઈરાકમાં સ્થિતિ હજુ ખરાબ થાય તથા ચોમાસામાં પણ સુધારો ના થાય તો બજારમાં મોટો ઘટાડો આવી શકે છે.પરંતુ બજારમાં કોઈપણ ઘટાડો લાંબી અવધીનાં રોકાણકારો માટે ખરીદીની તક થઈ શકે છે.બજારમાં ઘટાડો થવાથી FIIનું રોકાણ પણ વધશે તેમજ રીટેલ રોકાણકારોની બજારમાં રુચી વધી રહી છે જે બજાર માટે પોઝીટીવ રહેશે.આવતાં ૩ મહીનામાં બજારની સ્થિતિમાં સારો સુધારો થવાનું અનુમાન છે.બજારમાં હાલનાં સ્તરથી ૫-૧૦ ટકાથી વધારે ઘટાડાની સંભાવના નથી.પાવર અને ઈન્ફ્રાસ્ટ્ર્કચર સેક્ટર માટે બજેટમાં મોટી જોગવાઈઑ જોવાં મળશે.આગામી વર્ષોમાં સમગ્ર ભારતનાં ગામડે-ગામડે વિજળી પહોંચાડવાનો નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે જે તેમણે ગુજરાતમાં કરી બતાડ્યું છે.પાવર અને તેને રીલેટેડ તમામ ઉધોગોમાં આગામી વર્ષોમાં તેજી જોવાં મળશે.મોદી સરકાર એવું માને છે કે કોઈપણ દેશનાં વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્ર્કચરનું ખુબ જ મહત્વ છે.અને આ હકીકત તદન સાચી પણ છે.આગામી વર્ષે સિમેન્ટ,ઈન્ફ્રાસ્ટ્ર્કચર અને કંન્સ્ટ્રુકશન ઈક્વીપ્મેન્ટ બનાવતી કંપનીઓ માં તેજી જોવા મળશે.તેવી જ રીતે મોદી સરકાર ને કૃષી ક્ષેત્રે ગુજરાતમાં ખુબ જ મોટી સફળતા મળી હતી.ભારતનો કૃષી વિકાસ દર ફક્ત બે ટકા આસપાસ નો છે જ્યારે ગુજરાત બે આંકડાએ પહોંચ્યું છે.આ અનુભવનો લાભ હવે ભારતને મળશે.કૃષીક્ષેત્રનાં વિકાસ માટે મોટી યોજનાઓની જાહેરાત થાઈ શકે છે.કૃષી અને ફર્ટીલાઈઝર નાં શેરો માં નવી તેજીની શરુઆત થાય.ડિફેન્સ અને ઈન્શ્યુરન્સ ક્ષેત્ર માં FDI માટેની નવી નીતિ જાહેર થવાની આશા છે તેથી આ ક્ષેત્રો પણ રોકાણ માટે સારી પસંદગી કહી શકાય.બેંન્કીંગ ક્ષેત્ર માટે આવતું વર્ષ કસોટીનું રહેશે.નાનાં રોકાણકારોએ સટ્ટાથી દુર રહી તેજીની સંભાવના ધરાવતાં જુદાં જુદાં સેક્ટર્સની પસંદગીની કંપનીઓમાં લાંબા ગાળાનાં રોકાણ માટેની રણનીતિ બનાવવી જોઈએ.મ્યુચલ ફંડ અને યુલીપ ઈન્શ્યુરન્સ પોલીસીનાં રોકાણો પણ જાળવી રાખવાથી આવતાં વર્ષોંમાં યોગ્ય વળતર મળશે.