ગુરુવાર, 20 ઑગસ્ટ, 2015

સંસદનાં સત્રને ખોરવીને કોંગ્રેસે દેશનાં અર્થતંત્રને રૂંધવાનું કામ કર્યું

સંસદનાં ચોમાસુ સત્રને ખોરવીને
કોંગ્રેસે દેશનાં અર્થતંત્રને રૂંધવાનું કામ કર્યું
છેલ્લાં દશ વર્ષમાં કેન્દ્રમાં કોંગ્રેસ સરકારનાં શાસન દરમિયાન અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો.તત્કાલીન કોંગ્રેસ સરકારની દિશા હીનતા તેમજ નીતિ વિષયક બાબતોમાં નિષ્ક્રિયતા ને લીધે દેશનો આર્થીક વિકાસ રૂંધાઇ ગયો હતો.ભારતીય અર્થતંત્ર માંદુ થઇ ગયું હતું.કોંગ્રેસનાં બેદરકાર શાસનને લીધે દેશની જનતા નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી ત્યારે ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીઓમાં જનતાએ નરેન્દ્રભાઈ મોદી ની સુશાસન અને વિકાસની રાજનીતિને અપનાવી ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય અપાવ્યો.કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પણ બેસી નાં શકે તેટલી હદે જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો.છેલ્લાં એક વર્ષથી કેન્દ્રની મોદી સરકાર રાત-દિવસ એક કરીને દેશનાં આર્થીક વિકાસની ગાડીને પાટા પર ચડાવવા માટે સખત મહેનત કરે છે.ભાજપ સરકારનાં નીતિ વિષયક બાબતોમાં તાત્કાલિક નિર્ણયો,જનહિત અને દેશની આર્થીક પ્રગતિ માટેની નવી-નવી યોજનાઓનો અસરકારક અને ઝડપી અમલ,પાયાની માળખાકીય સુવિધાઓ માટે યોગ્ય આયોજન અને અમલવારી વગેરે જેવાં પગલાંઓને લીધે આજે એક જ વર્ષનાં ટૂંકા સમયગાળામાં ભારતનું અર્થતંત્ર ફરીથી બેઠું થયું છે.લોકોમાં પણ ઉત્સાહનાં વાતાવરણનું નિર્માણ થયું છે.વિદેશી રોકાણકારોએ પણ ભારતને એશિયાનાં વિકાસનાં ગ્રોથ એંન્જીન તરીકે સ્વીકાર્યું છે.આજે સમગ્ર દેશ અને વિશ્વમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલી,ઝડપી નિર્ણયશક્તિ અને દુરન્દેશીતા નાં વખાણ થાય છે.ઘણાં વર્ષો પછી ભારતને કામ કરતી સરકાર મળી છે ત્યારે ભાજપ સરકારની લોકપ્રિયતા જોઈ કોંગ્રેસનાં પેટમાં તેલ રેડાયું છે.તેથી જ સંસદનાં ચોમાસુ સત્રમાં પાયા વિહોણા આક્ષેપો દ્વારા ધમાલ મચાવી કોંગ્રેસે સંસદની કાર્યવાહી અટકાવી દીધી.સંસદનાં ચોમાસુ સત્રમાં કામકાજ ના થવા દઈને કોંગ્રેસે દેશની જનતાનાં ૨૬૦ કરોડ બરબાદ કરી નાંખ્યા.કોંગ્રેસ સતા પર હતી ત્યારે ભ્રષ્ટાચાર દ્વારા જનતાનાં રૂપિયાની લુંટ ચલાવી અને હવે વિરોધ પક્ષમાં છે ત્યારે કોંગ્રેસ સંસદની કાર્યવાહી ખોરવીને દેશની જનતાનાં કરોડો રૂપિયા બરબાદ કરી રહી છે.કોંગ્રેસની નકારાત્મકતા ને લીધે ૨૦૧૦ થી લઈને અત્યાર સુધીનાં સંસદનાં તમામ સત્રોમાં સૌથી ઓછી કામગીરી આ ચોમાસુ સત્રમાં નોંધાઈ હતી.
ચોમાસુ સત્ર પહેલાનાં સંસદનાં શિયાળુ સત્ર અને બજેટ સત્રમાં છેલ્લાં ૧૫ વર્ષનાં ઈતિહાસમાં સૌથી વધારે કામકાજ થયું હતું.અંદાજે ૧૨૨ ટકા જેટલી પ્રોડકટીવીટી બજેટ સત્રની હતી.સંસદનાં ચોમાસુ સત્ર પહેલાનાં બંને સત્રોમાં ભાજપ સરકારની રેકોર્ડ બ્રેક પ્રોડકટીવીટી જોઇને કોંગ્રેસ ડઘાઈ ગઈ હતી અને તેથીજ કોંગ્રેસે સંસદમાં ચર્ચા કરવાને બદલે સંસદની કાર્યવાહી અટકાવવાનું રાષ્ટ્રહિત વિરુધ્ધનું કાર્ય કર્યુઁ છે.સંસદમાં કુલ ૬૮ બીલ પેન્ડીંગ છે તેની સામે બંને ગૃહોમાં થઇ કુલ ફક્ત ૩ બીલો જ આ સત્રમાં પસાર થઇ શક્યાં.દેશની જનતા જેની વર્ષોથી રાહ જોઈ રહી છે તે GST બીલ આ ચોમાસુ સત્રમાં પસાર કરવાનું ભાજપ સરકારનું આયોજન હતું પરંતુ દેશનાં કમનસીબે કોંગ્રેસે સંસદની કામગીરી અટકાવી GST બીલને પસાર થવા નાં દીધું.દેશનાં આર્થીક વિકાસને નવી ઉંચાઈઓ પર લઇ જવા માટે GST બીલનું પાસ થવું અત્યંત જરૂરી હતું.GST નાં અમલ માત્રથી દેશનાં આર્થીક વિકાસ દરમાં ૧/૫ થી ૨ ટકાનો વધારો થશે તેવું આર્થીક બાબતોનાં તજજ્ઞોનું માનવું છે ત્યારે સંસદની કાર્યવાહી ખોરવીને કોંગ્રેસે દેશની સવા સો કરોડ જનતાની આર્થિક પ્રગતી રૂંધવાનું પાપ કર્યું છે.આશ્ચર્યની વાત તો એ છે કે ૨૦૦૬ માં કોંગ્રેસે જ GST નો વિચાર રજુ કર્યો હતો અને ૨૦૧૧માં સંસદમાં GST બીલ રજુ કર્યું હતું.પરંતુ હવે જયારે ભાજપ સરકાર દ્વારા GST બીલમાં જરૂરી અગત્યનાં સુધારાઓ કરી આ બીલ સંસદમાં રજુ થઇ રહ્યું છે ત્યારે રાષ્ટ્રહિત ને બાજુએ રાખીને કોંગ્રેસ ફક્ત પોતાનાં રાજકીય સ્વાર્થ ખાતર આ બીલ પાસ નાં થવા દેવા માટે સંસદમાં ધમ પછાડા કરી રહી છે.સંસદનાં ચોમાસુ સત્રના ધોવાણથી દેશની જનતાને પણ ખ્યાલ આવ્યો છે કે કોંગ્રેસ માટે સમગ્ર દેશની આર્થીક પ્રગતી કરતાં પોતાનો રાજકીય સ્વાર્થ વધારે મહત્વનો છે.કેન્દ્રની ભાજપ સરકારની સરાહનીય કામગીરીને કોંગ્રેસ પચાવી શકતી નથી.એક જ વર્ષનાં ટૂંકા સમયગાળામાં ખુબ જ સારી કામગીરી દ્વારા મોદી સરકારે લોકોનાં દિલ જીતી લીધા છે જે કોંગ્રેસથી સહન થતું નથી તેથી જ સંસદની કામગીરી અટકાવી વિકાસનાં માર્ગે પુરપાટ ગતિથી ચાલતી ભાજપ સરકારનાં માર્ગમાં અવરોધો ઉભા કરે છે.કોંગ્રેસ ને ડર છે કે આવતી ચૂંટણીઓમાં કોંગ્રેસની હાલત ૨૦૧૪ની ચૂંટણીઓ કરતાં પણ વધુ ખરાબ થશે તેથી જ તે રાષ્ટ્રહિત માટે કામ કરતી સરકારની ઉતમ કામગીરીઓને અવરોધી દેશની આર્થીક વિકાસની ગતિ ને ધીમી પાડવા શક્ય તેટલાં તમામ પ્રયત્નો કરે છે.આવનારી પેઢી કોંગ્રેસનાં આવા દેશ વિરોધી હીન કૃત્યોને કદી માફ નહીં કરે.