ગુરુવાર, 4 ઑગસ્ટ, 2016

જીએસટી બીલ પાસ : કરમાળખામાં આઝાદી પછીનો સૌથી મોટો સુધારો

જીએસટી બીલ પાસ : કરમાળખામાં આઝાદી પછીનો સૌથી મોટો સુધારો

મોદી સરકારનું કુશળ ફ્લોર મેનેજમેન્ટ

આર્થિક વિકાસની તેજ રફતાર,અભિનંદન મોદી સરકાર

છેલ્લાં દસ વર્ષથી જેની આપણે સૌ કાગડોળે રાહ જોઈ રહ્યાં હતા તે જીએસટી બંધારણીય સુધારણા ખરડાને ગઈકાલે રાજ્યસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.રાજ્યસભામાં ૨૦૫ વિરુદ્ધ શૂન્ય મતથી ખરડો પસાર થયો હતો.જે ભારતીય કરમાળખાનો આઝાદી પછીનો સૌથી મોટો સુધારો છે.જીએસટી નો વિચાર સૌથી પહેલા એનડીએ સરકારનાં વડપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીજીએ મુક્યો હતો.જેનો ઔપચારિક પ્રસ્તાવ તત્કાલીન નાણાંપ્રધાન ચિદમ્બરમે ૨૦૦૬ની બજેટ સ્પીચમાં રજુ કર્યો હતો.જીએસટી બંધારણીય સુધારા ખરડો પહેલી વખત ૨૦૧૧માં તત્કાલીન નાણાંપ્રધાન પ્રણવ મુખરજીએ દાખલ કર્યો હતો ત્યારબાદ મોદી સરકારે ૨૦૧૪માં ખરડાને ફરી સંસદમાં રજુ કર્યો હતો.પરંતુ આપણી કમનસીબીએ ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા જ રજુ કરાયેલા ખરડાને ભાજપ સરકારે સુધારા સાથે ૨૦૧૪માં રજુ કર્યો પણ મોદી સરકાર જશ ખાટી નાં જાય તેવી મેલી મુરાદે દેશહિતને બાજુએ રાખીને કોંગ્રેસે રાજ્યસભામાં સતત જીએસટી ખરડાનો વિરોધ કર્યો પરિણામે  બે વર્ષ જેટલો સમય બરબાદ થયો અને હવે હજુ તેની અમલવારીમાં પણ એક વર્ષ જેટલો સમય લાગશે આમ,કોંગ્રેસે પરોક્ષરીતે ભારતીય અર્થતંત્રની વૃદ્ધીને રોકવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.જીએસટીનાં અમલ માટે હજુ ત્રણ ખરડા મંજુર કરવાનાં થશે જેમાં કેન્દ્રીય જીએસટી બીલ,રાજ્યોનું જીએસટી બીલ અને આંતરરાજ્ય જીએસટી ખરડો પસાર કરવાનો થશે તેમજ રાજ્યસભામાં કરાયેલા ફેરફારને ફરી લોકસભામાં પણ પસાર કરાવવાનો થશે.ખરડાને રાષ્ટ્રપતિની મંજુરી મળ્યા પછી ૫૦ ટકા રાજ્યોની વિધાનસભામાં બે તૃતિયાંશ બહુમતીથી જીએસટી ખરડો પસાર કરવાનો રહેશે.આમ,જીએસટી અમલમાં આવતા આવતા હજુ એકાદ વર્ષ જેટલો સમય લાગશે.

જીએસટીનાં લાગુ થવાથી ભારતનાં બિઝનેશ માળખામાં આમૂલ પરિવર્તન આવશે,અર્થતંત્રમાં તેજીનો સંચાર થશે જેનાથી ભારતનાં જીડીપીમાં ૧.૫ થી ૨ ટકાનો વધારો તાત્કાલિક જોવા મળશે તેમજ ભારતનું બે ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર ‘એક કોમન બજાર’ માં ફેરવાશે.ભારતમાં બિઝનેશ કરવો વધુ સરળ બનશે.જીએસટી ખરડાને મંજુરી એ મોદી સરકાર માટે ફક્ત આર્થિક નીતિના સંદર્ભમાં જ નહીં પણ રાજકીય રીતે પણ ઘણી મોટી સફળતા કહી શકાય.મોદી સરકારે પુરવાર કરી બતાવ્યું છે કે દેશનાં હિત માટે તે નાનાં-મોટાં તમામ વિપક્ષો સાથે વાટાઘાટો દ્વારા જોડાઈ ને દેશહિતમાં ઉકેલ લાવવા હકારાત્મક અભિગમ ધરાવે છે.જીએસટી બીલ રાજ્યસભામાં સફળતાપૂર્વક પસાર કરાવવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી,નાણામંત્રી શ્રી અરુણ જેટલી તેમજ ટીમ બીજેપી ને લાખ લાખ અભિનંદન.

શનિવાર, 4 જૂન, 2016

‘પોલિસી પેરાલિસીસ’ના યુગનો અંત,ભારતીય અર્થતંત્ર ફરીથી ધમધમતું થયું.

પોલિસી પેરાલિસીસ’ના યુગનો અંત,ભારતીય અર્થતંત્ર ફરીથી ધમધમતું થયું.


આર્થીક વિકાસની તેજ રફતાર : દો સાલ મોદી સરકાર :

વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪નો સમયગાળો ભારતીય અર્થતંત્ર માટે ‘ પોલિસી પેરાલિસીસ’ નો રહ્યો.૨૦૦૪માં વાજપેયી સરકારનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ભારતનો આર્થીક વિકાસ દર વધીને ૮ ટકા સુધી પહોંચી ગયો હતો.ત્યારબાદ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની.દેશનાં લોકોને એવી આશા બંધાઈ હતી કે નિષ્ણાંત અર્થશાસ્ત્રી મનમોહનસિંહના વડપણ હેઠળ ભારતીય અર્થતંત્ર હવે ૮ ટકાના વિકાસદરથી આગળ વધીને બે આંકડાનો વિકાસદર ચોક્કસ હાંસલ કરશે.વૈશ્વિક રોકાણકારો અને એનાલીસ્ટોનું પણ આવુંજ માનવુ હતું.પરંતુ કમનસીબે બધાંની આશા,નિરાશામાં ફેરવાઈ અને ૨૦૦૪ થી ૨૦૧૪ના સમયગાળા દરમીયાન કોંગ્રેસના શાસનમાં ભારતીય અર્થતંત્ર મંદીની ગર્તામાં ધકેલાય ગયું.તત્કાલીન કોંગ્રેસ સરકાર નીતિ વિષયક નિર્ણયો અને આર્થીક સુધારાઓની બાબતમાં સંપૂર્ણ નિષ્ફળ રહી.મનમોહન સરકારનાં જુદાજુદા ખાતાઓ વચ્ચેનો વિવાદ,વિસંગતતા અને સંકલનનો સંપૂર્ણ અભાવ,પ્રધાનમંત્રીની અનિર્ણાયકતા – નિષ્ક્રિયતા,સરકારની દિશાહીનતા, અબજોનાં ભ્રષ્ટાચાર વગેરે જેવી બાબતોની સૌથી વધુ ખરાબ અસર ભારતના અર્થતંત્ર પર થઇ.પરિણામે ૨૦૧૪માં જયારે આ કોંગ્રેસ સરકારનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ભારતનો આર્થીક વિકાસ દર બે આંકડાઓમાં પહોચવાને બદલે ૮ ટકાથી પણ ઘટીને ફરીથી ૪ ટકા સુધી પહોંચી ગયો.શેરબજારમાં પણ સતત મંદીનો માહોલ રહ્યો.અર્થતંત્ર માંદુ થયું.વિશ્વની તમામ અગ્રણી નાણાંકીય સંસ્થાઓ અને રેટિંગ એજન્સીઓએ પણ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું.વૈશ્વિક રોકાણકારોએ પણ ભારત તરફથી તેનું મોં ફેરવી લીધું હતું.દેશની જનતાનો પણ સરકાર પરથી ભરોસો ઉઠી ગયો હતો.આવાં વાતાવરણમાં જયારે ૨૦૧૪માં નરેન્દ્રભાઈ ભારતનાં પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશની તિજોરી સાવ ખાલીખમ હતી.ત્યારે અર્થતંત્રની ગાડીને ફરીથી પાટા પર ચડાવવાનો બહુ મોટો પડકાર મોદીસરકાર સામે હતો.

આજે,જયારે કેન્દ્રમાં મોદી સરકારે બે વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે ત્યારે અર્થતંત્રની આજની સ્થિતિનાં અભ્યાસ દ્વારા આપણે ની:સંકોચ કહી શકીએ કે મોદીસરકારે અર્થતંત્રને ગતિમાં લાવવાનો પડકાર સુપેરે પાર પડ્યો છે.ભારતીય અર્થતંત્રનું મૂલ્યાંકન કરતા ખ્યાલ આવે કે બે વર્ષનાં ખુબ જ ટૂંકા સમયગાળામાં ભારતીય અર્થતંત્રની ગાડી ફરીથી પાટા પર ચડી ગઈ છે.ભારતનું અર્થતંત્ર આજે સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી દરે વિકસતું અર્થતંત્ર બન્યું છે.વિકાસદર બાબતે ભારતે ચીનને પણ પાછળ રાખી દીધું છે.૨૦૧૪-૧૫નાં વર્ષમાં ભારતનો વિકાસદર ૭.૨ ટકાએ પહોચ્યો હતો.ત્યાર બાદ ૨૦૧૫-૧૬નાં ત્રીજા ક્વાર્ટરમાં વિકાસદર ૭.૬ ટકા રહ્યો અને ૨૦૧૫-૧૬નાં ચોથા ક્વાર્ટરનાં આંકડાઓ હમણાંજ પ્રસિદ્ધ થયા તે મુજબ ભારતીય અર્થતંત્રએ ૭.૯ ટકાનો વિકાસદર હાંસલ કર્યો છે.જે સૂચવે છે કે આર્થિક અનિશ્ચિતતાનાં વૈશ્વિક માહોલમાં પણ ભારતે ખુબ સારી વૃદ્ધી નોંધાવી છે.ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન ઉત્પાદન ક્ષેત્રે ૯.૩ ટકાની અને કૃષિ ક્ષેત્રે ૨.૩ ટકાની વૃદ્ધી થઇ છે.દેશનું ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર પણ ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે.રીફાઇનરી પ્રોડક્ટ્સ અને ઇલેકટ્રીસીટી ઉત્પાદનમાં પણ ૧૦ ટકાથી વધુ વૃદ્ધિને પગલે એપ્રિલમાં કોર સેકટર્સની વૃદ્ધી ૮.૫ ટકાની ચાર વર્ષની સૌથી ઉંચી સપાટી પર પહોંચી છે.કોર સેક્ટર ઇન્ડેક્ષમાં કોલસો,ક્રુડતેલ,નેચરલ ગેસ,રીફાઇનરી પ્રોડક્ટ્સ,ખાતર,સ્ટીલ,સિમેન્ટ અને ઇલેકટ્રીસીટી એમ કુલ આઠ સેકટર્સનો સમાવેશ થાય છે.જે દેશનાં કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૩૮ ટકાનો હિસ્સો ધરાવે છે.કોર સેકટર્સની વૃદ્ધીમાં સતત પાંચમાં મહીને વધારો થયો છે.ભારતની માથાદીઠ આવક પણ ૭.૪ ટકા વધીને ૨૦૧૫-૧૬માં રૂ.૯૩,૨૯૩ થઇ છે જે આગલાં નાણાંકીય વર્ષમાં રૂ.૮૬,૮૭૯ ની હતી.માથાદીઠ આવક એ દેશની સમૃદ્ધીનાં ઈન્ડીકેટર તરીકે ઓળખાય છે.રાજકોષીય ખાધ પણ ૨૦૧૪ સુધીમાં વધીને જીડીપીનાં ૫ ટકા ઉપર પહોંચી ગઈ હતી તેની સામે મોદીસરકારે ૨૦૧૫-૧૬માં જીડીપીનાં ૩.૯ ટકાનો રાજકોષીય ખાધનો લક્ષ્યાંક પણ હાંસલ કરી લીધો છે.જે અર્થતંત્ર માટે ફાયદાકારક છે.

વિશ્વની તમામ અગ્રણી નાણાં સંસ્થાઓ તેમજ ક્રેડીટ રેટિંગ એજન્સીઓએ પણ ભારતનાં રેટિંગમાં હકારાત્મક સુધારો કર્યો છે.વૈશ્વિક રોકાણકારો પણ ફરીથી ભારત તરફ આકર્ષાયા છે.તાજેતરનાં જ આંકડાઓ પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં ભારતમાં વિદેશી રોકાણકારોએ પ્રાઇવેટ ઇક્વિટીમાં રેકોર્ડબ્રેક એવાં ૪૦ બિલિયન ડોલરનાં રોકાણો કર્યા છે.જે દર્શાવે છે કે વિશ્વ સ્તરે ભારતની શાખમાં વધારો થયો છે અને વિશ્વનાં આર્થિક નિષ્ણાંતોને મોદીસરકારની વિકાસનીતિ અને કાર્યશૈલી પર ભરોસો બેઠો છે.તેવી જ રીતે સ્થાનિક ઉત્પાદન પ્રવૃત્તિમાં પણ વેગ આવ્યો છે.તાજેતરનાં આંકડાઓ મુજબ ગયા મહીનાનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ પણ વધીને ૫૦.૭નાં સ્તર પર પહોંચ્યો છે. પીએમઆઈમાં ૫૦થી ઉપરનો આંક વૃદ્ધી દર્શાવે છે અને ૫૦થી નીચેનો આંક ઘટાડો સૂચવે છે.

દેશનાં શેરબજારો પણ ફરીથી ધમધમતાં થયા છે.૨૦૧૫-૧૬નાં વર્ષમાં ઇક્વિટી મ્યુચલફંડમાં ૩૯ લાખ નવાં રોકાણકારોનો ઉમેરો થયો છે.છેલ્લાં એક જ વર્ષમાં કુલ ૭૦,૦૦૦ કરોડનું જંગી મૂડી રોકાણ મ્યુચલફંડમાં થયું છે.૨૦૧૫-૧૬નાં વર્ષમાં ભારતમાં કારનું વેચાણ પણ છેલ્લાં પાંચ વર્ષની ટોચે પહોંચ્યું છે.મોદીસરકારની નીતિવિષયક બાબતોમાં નિર્ણાયકતા,ઝડપી અને પારદર્શી વહીવટ,ભ્રષ્ટાચારમુક્ત શાસન,આર્થિક પોલિસીઓમાં ધરખમ ફેરફારો વગેરે જેવી બાબતોને લીધે દેશનાં અર્થતંત્રમાં તેજીનો સંચાર થયો છે તેમજ આવતાં વર્ષોમાં ભારતનો વિકાસદર બે આંકડાઓ પર પહોંચે તેના માટેનો મજબુત પાયો નંખાયો છે.આપણો દેશ આગામી દિવસોમાં વિશ્વની આર્થિક મહાસતા બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે, આવો, આપણે સૌ પણ પ્રગતિની આ દૌડમાં સામેલ થઈએ અને સમૃદ્ધીનાં નવાં શિખરો સર કરીએ.ભારત માતા કી જય

શુક્રવાર, 27 મે, 2016

મેરા દેશ બદલ રહા હે : દો સાલ બેમિસાલ : અભિનંદન મોદી સરકાર

મેરા દેશ બદલ રહા હે : દો સાલ બેમિસાલ : અભિનંદન મોદી સરકાર

દેશમાં કોંગ્રેસનાં છેલ્લાં દસ વર્ષનાં શાસનમાં અબજોનાં કૌભાંડો, ભ્રષ્ટાચાર, અનિર્ણાયકતા ,દિશાહીનતા, મોંઘવારી, આર્થીક ગુનાખોરી, વંશવાદ, વોટબેન્કની રાજનીતિ વગેરે જેવી બાબતોને લીધે દેશની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી.દેશમાં ચારેબાજુ ઘોર નિરાશાનું વાતાવરણ હતું,દેશનું અર્થતંત્ર માંદુ પડી ગયું હતું, વિશ્વમાં ભારતની શાખ નબળી થઇ ગઈ હતી, દેશનાં કિશાનો આત્મહત્યા કરવા લાગ્યા હતા. તેમજ વૈશ્વિક રોકાણકારોએ પણ ભારત તરફથી તેમની નજર હટાવી લીધી હતી.આવાં માહોલમાં ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીઓમાં દેશની જનતાએ વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઇ, ગુજરાતનાં વિકાસ મોડેલને અપનાવી શ્રી નરેન્દ્રભાઈ મોદી ને ખોબલે – ખોબલે મતો આપ્યા અને દેશનાં ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી ની સંપૂર્ણ બહુમત ધરાવતી સરકાર બની. આજથી બે વર્ષ પહેલા દેશનાં વડાપ્રધાન તરીકે શપથ લેતી વખતે શ્રી નરેન્દ્રભાઈ એ કહ્યું હતું “ હું દેશનો પ્રધાનમંત્રી નહી પરંતુ દેશનો પ્રધાનસેવક છું. અમારી સરકાર દેશની જનતાનાં સપના સાકાર કરવા માટે તેમજ દેશની ઉન્નતી માટે રાત અને દિવસ મહેનત કરશે. અમે દર વર્ષે પ્રજાને અમારાં કામનો હિસાબ આપીશું.”

આજે જયારે મોદી સરકારને બે વર્ષ પુરા થયા છે ત્યારે સરકાર સામે ચાલીને પ્રજાની વચ્ચે જઈને પોતાનાં કાર્યોનો હિસાબ આપે છે. દેશનાં ઇતિહાસમાં આ પણ એક અભૂતપૂર્વ ઘટના છે. અત્યાર સુધીની સરકારો દર પાંચ વર્ષે પ્રજા વચ્ચે જતી અને તે પણ ફક્ત મતો માંગવા જ જતી હતી પોતાનાં કામનો હિસાબ આપવા નહી. બે વર્ષ એ આમ જોઈએ તો બહુ મોટો સમયગાળો ના કહેવાય. જેમ ક્રિકેટની રમતમાં નવો બેટ્સમેન બેટિંગ કરવા આવે તો શરૂઆતની બે – ચાર ઓવર તો તેને સેટ થતાં થાય ત્યાર પછી તે ધીમે ધીમે રન બનાવવાનું ચાલુ કરે. તેવી જ રીતે નવી સરકારને પણ સેટ થતાં સામાન્ય રીતે એકાદ વર્ષનો સમય લાગે પરંતુ, આ તો નરેન્દ્રભાઈની સરકાર, બેટિંગમાં આવતાંની સાથે જ પહેલા બોલથી જ ચોગ્ગા – છગ્ગા લગાવવાની એવી શરૂઆત કરી કે સામેની ટીમને હવે કયો બોલ ફેંકવો તેની કોઈ સમજણ જ નાં પડી પરંતુ પ્રજાને મજા પડી. મોદી સરકારે બે વર્ષનાં ટૂંકાગાળામાં દેશનાં તમામ ક્ષેત્રો અને તમામ વર્ગો માટે અનેકવિધ નવી યોજનાઓ શરૂ કરી અને તેની સફળ અમલવારી દ્વારા દેશનાં લોકોને ઘોર નિરાશાની ગર્તામાંથી બહાર કાઢી, તેઓમાં નવી આશા – ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરવાનું સરાહનીય કાર્ય કર્યું છે. 

મોદી સરકારની દીર્ઘ દ્રષ્ટિ, નીતિ વિષયક બાબતોમાં ત્વરિત નિર્ણય, પારદર્શક વહીવટ, ભ્રષ્ટાચાર મુક્ત શાસન વગેરે જેવી બાબતોને લીધે દેશનું અર્થતંત્ર ઘણાં વર્ષો પછી ફરીથી ધમધમતું થયું છે. ચીનને પણ પાછળ રાખી ભારત વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. ચીનના ૬ ટકાના વિકાસદર સામે ભારતે ૭.૬ ટકાનો વિકાસદર હાંસલ કર્યો અને અર્થતંત્રમાં નવી તેજીનાં મંડાણ થયા. વૈશ્વિક રોકાણકારો પણ ફરીથી ભારત તરફ આકર્ષાયા અને વિદેશી રોકાણોના મામલે પણ ચીનને પાછળ રાખી છેલ્લાં ૧૮ મહિનામાં ભારતમાં વિદેશી રોકાણોમાં ૪૦ ટકાનો માતબર વધારો થયો. દેશનાં શેરબજારોમાં પણ તેજીનો સંચાર થયો. જે રોકાણકારોએ શેરબજારથી મોં ફેરવી લીધું હતું તેવા રોકાણકારોએ પણ ભારતની વિકાસનીતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ફરીથી શેરબજારમાં પોતાનાં કામકાજો ચાલુ કર્યા. દેશનાં લાખો નાના રોકાણકારોને પણ સ્થિર અને નિર્ણાયક સરકાર પર ભરોસો બેઠો અને તેઓએ પણ પોતાની બચતોનું ફરીથી શેરબજારોમાં રોકાણ કર્યું. ૨૦૧૫ – ૧૬નાં વર્ષમાં ઇક્વિટી મ્યુચલ ફંડમાં ૩૯ લાખ નવાં રોકાણકારોનાં ખાતા ખુલ્યા અને છેલ્લાં એક જ વર્ષમાં કુલ ૭૦,૦૦૦ કરોડનું જંગી મૂડી રોકાણ મ્યુચલ ફંડમાં પણ થયું.અર્થતંત્રની તેજીને લીધે ઉત્પાદન ક્ષેત્રે પણ ભારતની વૃદ્ધી છેલ્લાં આઠ મહિનાની ટોચ પર પહોચી છે. દેશનાં ઓટો સેક્ટર માટે પણ ૨૦૧૫ – ૧૬નું વર્ષ શુકનિયાળ સાબિત થયું. ૨૦૧૫ – ૧૬નાં વર્ષમાં ભારતમાં કારનું વેચાણ છેલ્લાં પાંચ વર્ષની ટોચે પહોચ્યું છે. દેશનાં કોર્પોરેટ જગતે પણ સરકાર પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને પોતાનાં કારોબાર વિસ્તારવાની સાથે નવાં જંગી મૂડી રોકાણો કરવાનું આયોજન પણ કર્યું. ફક્ત બે જ વર્ષનાં ટૂંકાગાળામાં સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની છબી બદલાઈ ગઈ અને અમેરિકા,જાપાન,ચીન,રશિયા,ઇંગ્લેન્ડ સહીત વિશ્વનાં તમામ દેશો ભારત સાથે પોતાનાં સંબધો સુધારવા માટે તલપાપડ બન્યા સાથે – સાથે વિશ્વનાં ખૂણે – ખૂણે રહેતાં તમામ ભારતીયો પ્રત્યેનાં તેમનાં વલણમાં પણ સુખદ પરિવર્તન આવ્યું.

આ બધી ઘટનાઓ કોઈ કરિશ્માથી કમ નથી. ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમનું પ્રધાનમંડળ લાખ – લાખ અભિનંદનનાં હકદાર છે તેમાં કોઈ બે મત હોય જ નાં શકે.શ્રી નરેન્દ્રભાઈનાં નેતૃત્વમાં ભારત ફરીથી વિશ્વગુરુ દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આવો આપણે સૌ ‘સબકા સાથ સબકા વિકાસ’ની રાજનીતિ અને કેન્દ્ર સરકારનાં વિકાસશીલ બે વર્ષને હર્ષોલ્લાસથી વધાવીએ અને દેશનાં વિકાસ યજ્ઞમાં સહભાગી થઈએ. ભારત માતા કી જય.


બુધવાર, 2 માર્ચ, 2016

વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિને વેગ આપશે - કેન્દ્રીય બજેટ ૨૦૧૬-૧૭

સમગ્ર વિશ્વ આજે મંદીના વમળમાં સપડાયેલું છે.વૈશ્વિક વિકાસ દર ઘટીને ૩.૧ ટકા પર પહોંચી ગયો છે ત્યારે આવા મંદીનાં માહોલ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે ૭.૪ ટકાનો વિકાસ દર જાળવી રાખ્યો છે. જે ખુબજ સરાહનીય બાબત ગણાય.વૈશ્વિક અનિશ્ચિતતા નાં માહોલમાં મોદી સરકારનાં બજેટમાં અર્થતંત્રને વૃદ્ધિ મળે અને ગ્રામીણ વિકાસ અને શહેરી વિકાસ વચ્ચે સંતુલન જળવાય તે માટેનાં આવકાર્ય સુધારાઓ જાહેર થયાં છે.
શેર બજારની વાત કરીએ તો પ્રારંભિક તબક્કે શેર બજાર ગગડ્યું હતું.પરંતુ રાજકોષીય ખાધનાં લક્ષ્યાંકને વળગી રહેવાની જાહેરાત,પશ્ચાદવર્તી ટેક્સ બંધ કરવાનાં પગલાં તેમજ સર્વિસ ટેક્સ અને કેપિટલ ગેઇન ટેક્સ સાથે કોઈ છેડછાડ નહિ કરાતા શેર બજારમાં રીકવરી આવી હતી.આગામી દિવસોમાં શેર બજારમાં તેજીનો સંચાર જોવા મળશે.

૨૦૧૬-૧૭ નાં આ બજેટમાં શહેરોનાં વિકાસની સાથે સાથે ગામડાંઓનો પણ વિકાસ થાય તે માટે ગ્રામીણ ભારતને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે.સતત બે નબળાં ચોમાસાને કારણે મંદ પડેલાં ગ્રામીણ અર્થતંત્રને પુન:સજીવન કરવાનો ઉતમ પ્રયાસ આ બજેટમાં જોવા મળે છે.સાથે સાથે સામાજીક ક્ષેત્ર,રીયલ એસ્ટેટ,ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ,ઈન્ફ્રાસ્ટ્રક્ચર,લઘુ ઉદ્યોગો નો વિકાસ,યુવા વિકાસ,જાહેર આરોગ્ય જેવી બાબતો પર પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.આમ,નાણામંત્રીએ ભારતીય અર્થતંત્ર આગામી દિવસોમાં મોટી હરણ ફાળ ભરે તે માટેનો તખ્તો આ બજેટમાં તૈયાર કર્યો છે.